કર્ણાટક સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર, વેચાઇ રહ્યું છે CMનું પદ : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી કર્ણાટકમાં ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી કર્ણાટકમાં ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ સોમવારના રોજ કર્ણાટકમાં જણાવ્યું હતું કે, કર્ણાટકની સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે.
52 વર્ષીય કોંગી નેતા રાહુલ ગાંધીએ સાઉથના રાજ્યમાં ભાજપ સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ સમાજ વિરોધી છે. તેમણે દાવો કર્યો હતો કે, નાગામોહન દાસ આયોદની રિપોર્ટની ભલામણોને લાગુ કરવામાં આવી રહી નથી.

કરોડોમાં વેચાય છે CMનું પદ
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટકની સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે. તેઓ દરેક ટ્રાન્ઝેક્શન પર 40 ટકા કમિશન લે છે. 13 હજાર ખાનગી શાળાઓએ 40 ટકા કમિશન આપ્યું છે. ખુદ ભાજપના એક ધારાસભ્યએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી પદ 2,500 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધી - કર્ણાટકમાં વેચાઈ રહી છે નોકરીઓ
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નોકરીઓ વેચાઈ રહી છે. પોલીસ, સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટ 80 લાખમાં વેચાઈ રહી છે. આસિસ્ટન્ટપ્રોફેસરોની જગ્યાઓ વેચાઈ ગઈ છે. તેઓ જે કંઈ કરી શકે તે વેચે છે. ભારત જોડો યાત્રા નફરત, ગુસ્સો, બેરોજગારી, મોંઘવારી, ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો સામે લડવાની છે.

અમે ભારત સાથે કંઈપણ ખોટું સહન નહીં કરીએ
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે ભારત સાથે ખોટું, અન્યાય સહન નહીં કરીએ. આપણે એવા દેશને સહન કરી શકતા નથી, જ્યાં આપણા લાખો યુવાનોને નોકરી ન મળે. જ્યાં લાખો અને કરોડો લોકો વધતી મોંઘવારી અને મોંઘવારીના બોજ હેઠળ દટાયેલા છે.
ખેડૂતો પૂછે છે કે, તેમને ખાતર માટે GST શા માટે ચૂકવવો પડે છે. ભાવ વધારાથી ગૃહિણીઓ ચિંતિત છે, આવા ભારતને આપણે કેવી રીતે સહન કરીએ.

ભાજપ માટે આ સંદેશ છે કે, ભારત વભાજીત નહીં થાય
કર્ણાટકના ચિત્રદુર્ગ નજીકના હિરીયુર ગામમાં જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીની ભારત જોડો યાત્રા આ દેશમાં ભાજપ અને આરએસએસ દ્વારા ફેલાવવામાં આવતી નફરત, હિંસા વિરુદ્ધ છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ માટે આ સંદેશ છે કે, ભારતનું વિભાજન નહીં થાય, ભારત અખંડ રહેશે અને આ સંદેશ આ યાત્રામાં સ્પષ્ટ દેખાય છે, કારણ કે આ યાત્રામાં કોઈ હિંસા નથી, નફરત નથી, કોઈ ગુસ્સો નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
