જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડને બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન ગણાવી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આપેલા વાંધાજનક નિવેદન બદલ પોલીસે રાણેની ધરપકડ કરી છે. તેની ધરપકડ પહેલા જામીન અરજી રત્નાગીરી કોર્ટે ફગાવી દીધી હતી.
મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આપેલા વાંધાજનક નિવેદન બદલ પોલીસે રાણેની ધરપકડ કરી છે. તેની ધરપકડ પહેલા જામીન અરજી રત્નાગીરી કોર્ટે ફગાવી દીધી હતી. નારાયણ રાણેને હવે રત્નાગિરિ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાણેની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી છે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે,
મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડએ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન છે. આવી કાર્યવાહીથી આપણે ન તો ડરીશું અને ન તો દબાઇ જઇશું. જન આશીર્વાદ યાત્રામાં ભાજપને મળી રહેલા અપાર સમર્થનને કારણે લોકોને પેટમાં તેલ રેડાઇ રહ્યું છે. અમે લોકતાંત્રિક રીતે લડતા રહીશું, અમારી યાત્રા ચાલુ રહેશે.
महाराष्ट्र सरकार द्वारा केंद्रीय मंत्री नारायण राणे जी की गिरफ़्तारी संवैधानिक मूल्यों का हनन है। इस तरह की कार्यवाही से ना तो हम डरेंगे, ना दबेंगे।
— Jagat Prakash Nadda (@JPNadda) August 24, 2021
भाजपा को जन-आशीर्वाद यात्रा में मिल रहे अपार समर्थन से ये लोग परेशान है।
हम लोकतांत्रिक ढंग से लड़ते रहेंगे, यात्रा जारी रहेंगी।
મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે આ અંગે પ્રતિક્રિયા આપી હતી કે,
નારાયણ રાણે સામે ધરપકડ વોરંટ બતાવે છે કે મહારાષ્ટ્ર સરકાર ડરી ગઈ છે. આ એક રાજકીય કાવતરૂ છે.
आदरणीय राणे साहेब जेवण करत असताना, यांची मुजोरी आणि ठोकशाही सुरूच!
— Prasad Lad (@PrasadLadInd) August 24, 2021
ठोकशाही करणाऱ्या आणि पोलिसजीवी ठाकरे सरकारने कायद्याने चालावे!
या भकास सरकार चा जाहीर निषेध!!@MeNarayanRane @NiteshNRane @meNeeleshNRane pic.twitter.com/7q1etySkgq
ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ રાયગઢ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ નિવેદન આપ્યું હતું કે, આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા તે મુખ્યમંત્રીને ખબર નથી તે શરમજનક છે. ભાષણ દરમિયાન તેમને પાછળ જોતા અને આ વિશે પૂછતા જોવા મળ્યા હતા. જો હું ત્યાં હોત, તો મેં તેને જોરદારની થપ્પડ મારી દીધી હોત.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
