યુપી સરકારના નેમ પ્લેટ આદેશ સામે કોર્ટ જશે જમીયત ઉલેમા, દિલ્હીમાં બેઠક બોલાવાઈ
યોગી આદિત્યનાથના નેમ પ્લેટ ફતવાનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓના જોરદાર વિરોધ વચ્ચે હવે જમિયત ઉલેમા-એ-હિંદે પણ મેદાનમાં ઉતરી છે અને કોર્ટના દરવાજા ખખડાવાની તૈયારી કરી રહી છે.
વિવાદ વચ્ચે જમિયત ઉલેમા-એ-હિંદે કહ્યું છે કે તે આ નિર્ણય સામે કોર્ટમાં જશે. જમીયત ઉલેમા-એ-હિંદે કહ્યું કે આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવશે. ધર્મની આડમાં નફરતની રાજનીતિ કરવામાં આવી રહી છે.

કાવડ યાત્રા સાથે જોડાયેલા આ આદેશને ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક ગણાવતા તમામ કાયદાકીય પાસાઓને ધ્યાનમાં લેવા પણ કહેવામાં આવ્યું છે. રવિવારે જમીયત ઉલેમા-એ-હિંદે આ સંબંધમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. જમિયતનું કહેવું છે કે તેની કાનૂની ટીમ આ આદેશના કાયદાકીય પાસાઓ પર વિચાર કરી રહી છે.
જમીયત ઉલેમા એ હિંદે કહ્યું કે, આ એક 'ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક નિર્ણય છે અને આમાં બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે.
જણાવી દઈએ કે, શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકારે મુઝફ્ફરનગર જિલ્લામાં 240 કિલોમીટર લાંબા કાવડ યાત્રા માર્ગ પર આવેલી તમામ હોટેલો, ઢાબાઓ અને સ્ટોલને તેમના માલિકો અથવા તેમના નામ દર્શાવવા માટે ઓર્ડર આપ્યાના થોડા દિવસો પછી સરકારે સમગ્ર રાજ્ય માટે સમાન આદેશ જારી કર્યો છે.
જમિયતના વડા મૌલાના અરશદ મદનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ એક ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક નિર્ણય છે. રાષ્ટ્રવિરોધી તત્વોને આ નિર્ણયનો લાભ ઉઠાવવાની તક મળશે અને આ નવા આદેશને કારણે કોમી સૌહાર્દને ગંભીર નુકસાન થવાની સંભાવના છે.
મદનીએ આગળ કહ્યું કે, દેશના તમામ નાગરિકોને બંધારણમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે કે તેઓ જે ઇચ્છે તે પહેરે, તેઓ જે ઇચ્છે તે ખાય, તેમની અંગત પસંદગીમાં કોઇ અવરોધ નહીં કરે, કારણ કે આ નાગરિકોના મૂળભૂત અધિકારોનો વિષય છે.












Click it and Unblock the Notifications
