મંદસૌરમાં ભાવ ન મળતા ખેડૂતનો ગુસ્સો ફુટ્યો, લસણના પાકમાં આગ લગાવી!
2018થી ખેડૂત આંદોલનથી દેશભરમાં ચર્ચામાં રહેલા મધ્ય પ્રદેશમાં મંદસૌરમાં ફરી એક ખેડૂતની લાચારી જોવા મળી છે. શનિવારે મંદસૌરના કૃષિ ઉત્પાદન બજારમાં ઓછા ભાવને કારણે આ ખેડૂતે લસણના પાકને આગ લગાવી દીધી હતી.
મંદસૌર, 18 ડિસેમ્બર : 2018થી ખેડૂત આંદોલનથી દેશભરમાં ચર્ચામાં રહેલા મધ્ય પ્રદેશમાં મંદસૌરમાં ફરી એક ખેડૂતની લાચારી જોવા મળી છે. શનિવારે મંદસૌરના કૃષિ ઉત્પાદન બજારમાં ઓછા ભાવને કારણે આ ખેડૂતે લસણના પાકને આગ લગાવી દીધી હતી. માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા મંડી કર્મચારીઓએ આગ બુઝાવી અને નારાજ ખેડૂતને મંડી ઓફિસમાં લઈ જઈ સમજાવ્યા હતા.

દેવલી ગામથી પાક વેચવા માટે મંદસૌર આવ્યા હતા
શનિવારે ઉજ્જૈન જિલ્લાના દેવલી ગામમાંથી મંદસૌર આવેલા ખેડૂત શંકર લસણની ઓછી કિંમત સાંભળીને ગુસ્સે થઈ ગયા હતા. આ પછી ઉશ્કેરાયેલા ખેડૂતે પોતાના દોઢ ક્વિન્ટલ લસણને આગ ચાંપી દીધી હતી.ત્યારબાદ આ માહિતી મંડી પ્રશાસનને મળી હતી.

2.5 લાખના પાકના 1 લાખ રૂપિયા પણ ન મળ્યા
અન્ય ખેડૂતની ઉપજને બળી જવાથી બચાવવા માટે તેઓએ પાણી નાખીને તરત જ આગ બુઝાવી દીધી હતી. ખેડૂતનું કહેવું છે કે તેના પાકની કિંમત 2.5 લાખ રૂપિયા હતી. આના એક લાખ રૂપિયા પણ હવે મળતા નથી. જેથી તેમણે પોતાના પાકને આગ લગાવી દીધી હતી.

યશોધર્મન નગર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપવામાં આવ્યો
આ સમગ્ર મામલે મંડી પ્રશાસને બાદમાં નજીકના યશોધર્મન નગર પોલીસ સ્ટેશનને સત્તાવાર રિપોર્ટ આપ્યો છે. જ્યાં આગ લગાડનાર ખેડૂત સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંડી નિરીક્ષક જગદીશ ચંદ્ર ભવારના જણાવ્યા અનુસાર, તેમણે આગ લગાવનાર ખેડૂતને પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. પોલીસ સ્ટેશનમાંથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
