એંટીબાયોટિક દવા લઈ રહ્યા હોવ તો થઈ જાઓ સાવધાન! WHOના રિપોર્ટમાં થયો ખુલાસો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દવાઓની એક યાદી બહાર પાડી છે જે લોહીમાં ઈન્ફેક્શનનું કારણ બની શકે છે.
શરદી, ઉધરસ અને તાવમાં લોકો હંમેશા એન્ટીબાયોટિક દવાઓ લેતા હોય છે. આ ઉપરાંત કેટલીયવાર યૂટીઆઈ અને શરીરની કેટલીય સમસ્યાઓ માટે કારગર દવાના રૂપમાં એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે છે. પરંતુ હાલમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેર કરેલા રિપોર્ટ તમારા હોશ ઉડાવી શકે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કેટલીક એંટીબાયોટિક દવાઓ કોઈ અસર કરતી બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં, WHOએ આવી અસર કરતી બંધ થઈ ગઈ હોય તેવી દવાઓના નામ પણ જણાવ્યાં છે. સાથે જ તેના નુકસાનોને લઈને પણ ખુલાસા કર્યા છે. આવો જાણીએ આ દવાઓ વિશે..

એન્ટિબાયોટિક્સ બિનઅસરકારક બની રહી છે: WHO
2020માં 87 દેશો દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા આંકડાઓના આધારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો આ રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કેટલીક એંટીબાયોટિક (antibiotics) દવાઓ બેક્ટેરિયા પ્રત્યે બિનઅસરકારક છે. આવી દવાઓનું સેવન કરવાથી લોહીમાં જીવલેણ સંક્રમણનું કારણ બની શકે છે. સાથે જ તેમજ શરીરને ઘણા બેક્ટેરિયા (Antibiotic Resistance) સામે સારવાર માટે પ્રતિરોધક બનાવે છે. તેનો અર્થ એ કે તમારું શરીર ઘણા બેક્ટેરિયા સામે લડવા માટે સક્ષમ નહીં હોય અને આ દવાઓ તમારા માટે કોઈ કામની નહીં હોય.
પહેલીવાર ગ્લોબલ એંટીમાઈક્રોબિયલ રેસિસ્ટેંસ એન્ડ યૂઝ સર્વેલાંસ સિસ્ટમ (GLASS) રિપોર્ટમાં 27 દેશોમાં એંટીબાયોટિક રેજિસ્ટેંસ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટથી માલુમ પડે છે કે બેક્ટેરિયામાં પ્રતિરોધના 50%થી ઉપર છે. એટલે કે જે દવા આપવામાં આવી રહી છે બેક્ટેરિયા પર તેની કોઈ અસર નથી થઈ રહી.

આ દવાઓ બ્લડ ઈંફેક્શનનું કારણ બની શકે: WHO
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે બ્લડ ઈંફેક્શનના મામલા જેવી રીતે વધી રહ્યા છે, તેનું એક મોટું કારણ એંટીમાઈક્રોબિયલ રેસિસ્ટેંસ દવાઓ હોય શકે છે. આ ક્લેબસિએલા ન્યૂમોનિયા (klebsiella pneumoniae) અને એસિનેટોબૈક્ટર એસપીપી (Acinetobacter spp)ને કારણે બની શકે છે.

આ દવાઓના નામ યાદીમાં છે
જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ એંટીમાઈક્રોબિયલ રેસિસ્ટેંસ દવાઓના નામ પણ જણાવ્યાં છે. જેમ કે કાર્બાપેનેમ્સ, જે હેઠળ imipenem, meropenem, ertapenem અને doripenem જેવી એંટીબાયોટિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત આ યાદીમાં સિપ્રોફ્લોક્સાસિન (ciprofloxacin)નું નામ પણ સામેલ છે, જેને ઓરલ ઈંફેક્શન ઘટાડવા માટે વપરાશમાં લેવાય છે. સાથે જ યૂટીઆઈ ઈંફેક્શનમાં વપરાતી દવાઓ એમ્પીસિલીન (ampicillin) અને કો-ટ્રિમોક્સાજોલ (co-trimoxazole)અને ફ્લોરોક્વિનોલોન (fluoroquinolones)નું નામ પણ આ યાદીમાં સામેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
