સાચા ભારતને સમજવુ હોય તો રસ્તા પર ચાલવુ પડશે-રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ અને પુર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન વિવિધ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર સીધા પ્રહાર કરી રહ્યા છે.
નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ અને પુર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન વિવિધ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર સીધા પ્રહાર કરી રહ્યા છે.આ દરમિયાન રાહુલ ગાંધીએ મોટી વાત કહી છે.

રાહુલ ગાંધીની આગેવાની વાળી ભારત જોડો યાત્રા હાલમાં જ તેલંગાણામાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશી છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી પગપાળા યાત્રા કરી રહ્યા છે અને વિવિધ વર્ગના લોકોને મળી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ નેતાઓને શિખામણ આપી હતી.
રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નાંદેડમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતો અને મજૂરો વાહનોમાં મુસાફરી નથી કરતા, તે રસ્તા પર ચાલે છે. તેને પ્લેન, હેલિકોપ્ટર કે વાહનોથી સમજી શકાતા નથી. જો તમારે ભારતને સમજવું હોય તો રસ્તા પર ચાલવું પડશે.
અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી કન્યાકુમારીથી કશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી તમામ પ્રકારના લોકોને સાદગીથી મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
