હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે આજે 3 વાગ્યા સુધી પંડોહ ડેમમાંથી છોડાશે પાણી, પોલીસે લોકોને કરી અપીલ
હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ભારે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ઘણા જિલ્લાઓમાં સ્થિતિ ઘણી મુશ્કેલ બની ગઈ છે. નદીઓના જળસ્તર સતત વધી રહ્યા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ જ કારણ છે કે પ્રશાસને હવે મંડી જિલ્લામાં સ્થિત પંડોહ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લીધો છે.
નૂરપુર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 11 જુલાઈ અને 12 જુલાઈના રોજ ડેમમાંથી પાણી છોડવામાં આવશે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય જનતાને જાણ કરવામાં આવે છે કે અવિરત વરસાદને કારણે પંડોહ ડેમમાંથી 11 જુલાઈના સાંજે 6 વાગ્યાથી 12 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યા સુધી સતત પાણી છોડવામાં આવશે.
આથી જિલ્લા પોલીસ નૂરપુર તમને ડેમ વિસ્તારની આસપાસ ન જવા અપીલ કરે છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય. જિલ્લા પોલીસ નુરપુર દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે, તેઓ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે.
નૂરપુર પોલીસે લોકોને અપીલ કરી અને કહ્યું કે કોઈપણ સંકટના કિસ્સામાં તેઓ અમારા કંટ્રોલ રૂમ નંબર 0183-299400 અથવા હેલ્પલાઈન નંબર 112 પર કૉલ કરી શકે છે. આ સાથે જ તમે નજીકના પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે જાણ કરી શકો છો.












Click it and Unblock the Notifications
