Farmers Protest: ખેડૂતો 'દિલ્લી ચલો' માટે તૈયાર, જંતર-મંતર સુધી કાઢશે માટે માર્ચ, કડક સુરક્ષા વ્યવસ્થા
Farmers Protest: એમએસપી સહિત પોતાની અનેક માંગણીઓ માટે આંદોલન શરૂ કરનાર ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચની તૈયારી શરૂ કરી દીધી છે. ખેડૂતોએ 6 માર્ચ (બુધવાર)ના રોજ 'દિલ્હી ચલો' કૂચની જાહેરાત કરી છે. જેને જોતા ફરી એકવાર દિલ્હીની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
જો કે, હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર મીડિયાને સંબોધિત કરતી વખતે ખેડૂત નેતા તેજવીર સિંહે કહ્યું કે 6 માર્ચે સમગ્ર ભારતમાંથી ખેડૂતો દિલ્હીમાં જંતર-મંતર તરફ શાંતિપૂર્વક કૂચ કરશે.

ખેડૂતોના 'દિલ્હી ચલો' કૂચના એલાન બાદ દિલ્હીની સરહદો પર કડક સતર્કતા વધારી દેવામાં આવી છે. ગાઝીપુર બોર્ડર પર રોડ પર પોલીસ બેરિકેડ જોવા મળી હતી અને સિમેન્ટના બેરિકેડ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાંટાળા તાર પણ લગાવવામાં આવ્યા હતા. દિલ્હીમાં ખેડૂતોની માર્ચ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ મોડ પર છે.
ખેડૂત નેતા તેજવીર સિંહના જણાવ્યા અનુસાર, 6 માર્ચે સમગ્ર ભારતમાંથી ખેડૂતો દિલ્હીના જંતર-મંતર તરફ શાંતિપૂર્વક કૂચ કરશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના ખેડૂતોએ માર્ચ માટે દિલ્હી જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
ભારતીય કિસાન યુનિયન (શહીદ ભગત સિંહ)ના પ્રવક્તા તાજવીર સિંહે શંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દિલ્હીના જંતર-મંતર તરફ કૂચની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 10મીથી ખેડૂતોએ પણ યાત્રા શરૂ કરી છે. અમારો વિરોધ એમએસપીની ગેરંટી અંગે છે. અમે તમામ પ્રકારની સંસ્થાઓને અમને સમર્થન આપવા અને જંતર-મંતર પર અમારી સાથે જોડાવા અપીલ કરીએ છીએ.
તમને જણાવી દઈએ કે આ પહેલા 13 ફેબ્રુઆરીના રોજ પંજાબથી દિલ્હી તરફ જઈ રહેલા હજારો લોકોને હરિયાણાની શંભુ બોર્ડર પર રોકવામાં આવ્યા હતા. જ્યાં ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જે બાદ ખેડૂતો હરિયાણા અને પંજાબની બોર્ડર પર અડગ છે.
#WATCH | Shambhu Border: Farmer leader Tejveer Singh says, "Tomorrow, on March 6, farmers from all over India will march peacefully towards Jantar Mantar in Delhi. Farmers from Madhya Pradesh, Rajasthan and Bihar have made all preparations to move to Delhi for the march..." pic.twitter.com/2k2xKJKX9Q
— ANI (@ANI) March 5, 2024












Click it and Unblock the Notifications
