લોન માફીના નામે ખેડૂતોને ઠગવામાં આવ્યાઃ પ્રિયંકા ગાંધી
લોન માફીના નામે ખેડૂતોને ઠગવામાં આવ્યાઃ પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફરી એકવાર ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. બુધવારે પ્રિયંકા ગાંધીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે પહેલાં તો અહીં લોન માફીના નામે ખેડૂતોને ઠગવામાં આવ્યા છે અને હવે તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. એક સમાચારની લિન્ક ટ્વીટ કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સહારનપુર જિલ્લામાં વીજળી વિભાગ અને પોલીસના ઉત્પીડનથી પરેશાન થઈ એક ખેડૂ પુત્રએ ઝેર ગટગટાવી કથિત રીતે આપઘાત કરી લીધો. ઘટના બાદ રસ્તા જામ કરી ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું, 'ઉત્તર પ્રદે ભાજપે ખેડૂત હિતની વાત માત્ર જાહેરાતોમાં કરી છે અને તે બિલબોર્ડ સુધી સીમિત કરી રાખી છે. ખેડૂતોને તેમના પૈસાનું ભુગતાન નથી થઈ રહયું. સરખી રીતે વીજળી તો આવતી નથી પરંતુ તેમના વીજળીના બિલ વધારી દેવામાં આવ્યાં છે. લોન માફીના નામ પર ઠગવામાં આવ્યા છે, અને તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે.' અગાઉ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતાં રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિને લઈને કહ્યું હતું કે પ્રદેશ સરકારનો અપરાધ પર કોઈ નિયંત્રણ નથી.

લોન માફીના નામે ખેડૂતોને ઠગવામાં આવ્યા
પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'તમે ઉત્તર પ્રદેશ ભાજપ સરકારના દાવા અને તેમની હકીકતનું મિલાન કરીને જુઓ. ભાજપ સરકાર દરરોજ અપરાધમુક્ત કરવાનો ઢોલ પીટી રહી છે જ્યારે સચ્ચાઈ છે કે 22 દિવસમાં 12 ગોલીકાંડ, 4 હત્યા. મહિલાઓ પર અત્યાચાર. રાજ્યમાં અત્યાચાર પર સરકારનો કોઈ કાબૂ નથી.'

આત્મહત્યા પર દુખ વ્યક્ત કર્યું
અગાઉ થોડા દિવસો પહેલા તેમણે ટ્વીટ કરીને મૈનપુરીના જવાહર નવોદય વિદ્યાલયમાં ઘટીત ઘટના પર દુઃખ જતાવ્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, 'મૈનપુરી જવાહર નવોદય વિદ્યાલયની આ ઘટના બહુ જ દુખદ છે. યુવાનો પ્રત્યે આપણે સંવેદનશીલ થવું જોઈએ. નવોદય વિદ્યાલયોમાં આવા પ્રકારની ઘટનાઓ વધી રહી છે. સજાગ થઈ અમારે આનો હલ કાઢવો પડશે.' જણાવી દઈએ કે મૈનપુરીના જવાહર નવોદય વિદ્યાલયમાં 16 વર્ષની એક વિદ્યાર્થિનીએ થોડા દિવસ પહેલા જ ફાંસી લગાવી લીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
