Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Farmer Protest: શંભુ બૉર્ડર પર તૈનાત હરિયાણા પોલીસના સબ-ઈન્સ્પેક્ટરનુ મોત, જાણો સમગ્ર મામલો

Farmer Protest: સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિત વિવિધ ખેડૂત સંગઠનો તેમની માંગણીઓ પર દબાણ લાવવા માટે કેન્દ્ર સમક્ષ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનુ 'દિલ્લી ચલો' આંદોલન વધી રહ્યુ છે.

પંજાબ-હરિયાણાથી દિલ્હી જઈ રહેલા ખેડૂતોના જૂથને હાલમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોએ શંભુ બોર્ડર પર રોક્યા છે. આ દરમિયાન દિલ્હી તરફ ખેડૂતોની કૂચ દરમિયાન શંભુ બોર્ડર પર તૈનાત હરિયાણા પોલીસના સબ ઈન્સ્પેક્ટરનું મોત થયું છે.

farmers protest

શંભુ બોર્ડર પર પાણીપત જીઆરપીમાં તૈનાત ખરખોડાના વોર્ડ 10ના રહેવાસી સબ ઈન્સ્પેક્ટર હીરાલાલનું તબિયત ખરાબ હોવાને કારણે મૃત્યુ થયું હતું. ખારઘોડામાં સરકારી સલામી સાથે હીરાલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હીરાલાલ પાણીપતની સામલખા પોસ્ટ પર તૈનાત હતા. ખેડૂતોના દિલ્હી કૂચના આહ્વાન પછી તેમને શંભુ બૉર્ડર પર ફોર્સ સાથે મોકલવામાં આવ્યા હતા. હીરાલાલના પરિવારજનોનું કહેવું છે કે હીરાલાલને ત્રણ-ચાર દિવસ પહેલા સમલખા પોસ્ટ પરથી અંબાલા મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને શંભુ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા હતા.

તેમની તબિયત બગડ્યા બાદ હીરાલાલને અંબાલાની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી સાંજે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. હીરાલાલને બે બાળકો છે અને તેમની પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X