Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્લીઃ બધી સરકારી અને ખાનગી સ્કૂલો આવતા આદેશ સુધી બંધ રહેશેઃ શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા

દિલ્લીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે માટે રાજ્ય સરકારે સ્કૂલો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.

નવી દિલ્લીઃ દિલ્લીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે માટે રાજ્ય સરકારે સ્કૂલો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ બુધવારે કહ્યુ કે દિલ્લીની બધી સરકારી અને ખાનગી સ્કૂલો આવતા આદેશ સુધી બંધ રહેશે. દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

manish sisodiya

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં મંગળવારે એક વાર ફરીથી કોરોના વાયરસના વધતા કેસોએ રેકોર્ડ તોડી દીધો છે. મંગળવારે સાંજે જારી થયેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં કોરોના વાયરસના 4853 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન 44 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી પીડિત 2722 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા.

કોરોના વાયરસના વધતા કેસોએ એક વાર ફરીથ સરકારની ચિંતા વધારી દીધી છે. દિલ્લીમાં કોરોના વાયરસના કેસોમાં આ રીતનો ઉછાળો 41 દિવસો બાદ જોવા મળ્યો છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે દિલ્લીમાં 4473 રેકોર્ડ નવા કેસ નોંધવામાં આવ્યા હતા. મંગળવારે 4853 નવા કેસો સાથે જ દિલ્લીમાં કુલ કોરોના કેસની સંખ્યા વધીને 3.64 લાખ થઈ ગઈ છે. આ દરમિયાન રાજધાનીમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 27,873 છે જ્યારે મહામારીનો શિકાર થયેલા 6356 લોકોના મોત થઈ ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X