અફજલને જલદી ફાંસી મળવી જોઇએઃ દિગ્વિજય

કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે તેમનું પહેલેથી માનવું છે કે રાષ્ટ્રપતિ પાસે લંબિત દયા અરજીઓના હલની એક સમય-સીમા નક્કી થવી જરૂરી છે. તેમણે કહ્યું કે દયા અરજીઓના હલમાં વિલંબથી ના તો કેઇને ફાયદો થાય છે અને ના તો તેનો કોઇ અર્થ નીકળે છે. તેમનું માનવું છે કે અફજલ ગુરુને જલદી ફાંસી આપવામાં આવી જોઇએ.
ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે દ્વારા તાજેતરમાં જયપુર ચિંતન શિબિરમાં હિન્દૂ આતંકવાદ અંગે આપવામાં આવેલા વ્યક્તવ્યને લઇને ઉઠેલા વિવાદ પર કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે એ લોકોએ પણ માફી માંગવી જોઇએ જે લોકો પ્રતિનિધિમંડળને લઇને પ્રધાનમંત્રી પાસે આતંકવાદીઓને છોડાવવા માટે ગયા હતા.
સિંહે કહ્યું કે એ બધાને ખબર છે કે લાલકૃષ્ણ અડવાણી અને રાજનાથ સિંહ જેવા ભાજપના નેતા પ્રધાનમંત્રીને મળ્યા હતા, જેથી તેઓ તેમને એ લોકોને છોડી દેવા અંગે વાત કરી શકે, જે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપમાં પોલીસ હિરાસતમાં છે. તેમણે કહ્યું કે એ લોકોને પણ માફી માંગવી જોઇએ.
કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે તેમની નજરમાં આતંકવાદીને કોઇપણ ધર્મ સાથે જોડવાની જરૂરત નથી. સિંહે કહ્યું કે એક આતંકવાદી માત્ર આતંકવાદી હોય છે અને તેમને એ વાત સાથે કંઇ જ લેવા-દેવા નથી કે તેમનો ધર્મ કયો છે. તેમણે કહ્યું કે મારા દસ વર્ષના લાંબા મુખ્યમંત્રીત્વ કાળમાં એક પણ સાંપ્રદાયિક દંગો થયો નહોતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
