દિલ્લીઃ જી-20 માટે 23 કરોડની પરિયોજનાઓને મંજૂરી, ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આપી માહિતી
ઉપ મુખ્યમંત્રી અને પીડબ્લ્યુડી મંત્રી મનીષ સિસોદિયાએ રિંગરોડ પર આઈપી ફ્લાયઓવરથી હનુમાન સેતુ સુધીના રસ્તાના સૌદર્યીકરણ અને મજબૂતીકરણ માટે રૂ. 23 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
ઉપ મુખ્યમંત્રી અને પીડબ્લ્યુડી મંત્રી મનીષ સિસોદિયાએ રિંગરોડ પર આઈપી ફ્લાયઓવરથી હનુમાન સેતુ સુધીના રસ્તાના સૌદર્યીકરણ અને મજબૂતીકરણ માટે રૂ. 23 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ રિંગરોડ પરના આઈપી ફ્લાયઓવરથી હનુમાન સેતુ સુધીના 4.6 કિમી રોડનુ બ્યુટીફિકેશન અને મજબૂતીકરણ કરવામાં આવશે. પ્રોજેક્ટમાં આ રસ્તાઓનુ રિસરફેસિંગ, ફૂટપાથ અને સેન્ટ્રલ વર્જનું બ્યુટિફિકેશન અને હાલની ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે.

ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પીડબલ્યુડીના અધિકારીઓને ચોમાસા પહેલા પ્રોજેક્ટને લગતી તમામ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. વળી, નિર્દેશ આપ્યા કે બાંધકામના કામ દરમિયાન સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે. સલામતી-સુરક્ષા અને ગુણવત્તાના તમામ માપદંડોને પ્રતિબદ્ધતા સાથે અનુસરવામાં આવે.
આ પ્રસંગે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે દિલ્લી દ્વારા G-20ની યજમાની કરવી આપણા બધા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે. તેમણે કહ્યુ કે સીએમના નેતૃત્વમાં અમે દિલ્લીના લોકોને વધુ સારી રીતે ડ્રાઇવિંગનો અનુભવ આપવા અને G-20ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને દિલ્લીના રસ્તાઓને સુધારવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છીએ. જે અંતર્ગત રીંગરોડ પર આવેલ આઈપી ફ્લાયઓવરથી હનુમાન સેતુ સુધીના રોડના બ્યુટીફીકેશન અને મજબુતીકરણની કામગીરી પીડબલ્યુડી દ્વારા કરવામાં આવશે. આ સાથે રોડની બંને તરફ હરિયાળી માટે ખાસ કાળજી રાખવામાં આવશે.
PWD મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે કેજરીવાલ સરકાર દિલ્લીના લોકોને સુરક્ષિત, સરળ અને સુંદર રસ્તાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. સરકારનું વિઝન તેના નાગરિકોને વિશ્વ કક્ષાના રસ્તાઓ પૂરા પાડીને મુસાફરીનો બહેતર અનુભવ આપવાનો છે. આ કારણોસર PWD દિલ્લી દ્વારા આ રસ્તાઓના મજબૂતીકરણ માટે નવીનતમ તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી દિલ્લીના રસ્તા મુસાફરોની અવરજવર માટે વધુ સુરક્ષિત બની શકે. આનાથી શહેરના માર્ગો પરની ભીડ ચોક્કસપણે ઓછી થશે. આ એકસાથે મુસાફરોનો મુસાફરીનો સમય ઘટાડવામાં અને ઊર્જા બચાવવામાં મદદ કરશે.












Click it and Unblock the Notifications
