Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Delhi: પાણીની માંગને લઈને ભૂખ હડતાળ પર બેઠેલા જળ મંત્રી આતિશીની તબિયત બગડી, મોડી રાતે હૉસ્પિટલમાં કરાવ્યા ભરતી

Delhi Minister Atishi Hunger Strike: દિલ્હીના લોકો માટે પાણીની માંગણીને લઈને અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર ઉતરેલા મંત્રી આતિશીની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જળ મંત્રી આતિશીની તબિયત બગડતાં તેમને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટને લઈને 21 જૂનથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી હતી. જે મંગળવાર (25 જૂન)ના રોજ 5માં દિવસમાં પ્રવેશી ગઈ છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે હરિયાણા સરકાર દિલ્હીના હિસ્સાનું પાણી આપી રહી નથી. જેના વિરોધમાં આતિશીએ ઉપવાસ શરૂ કર્યા હતા.

Atishi

આતિશીનો આરોપ છે કે પડોશી રાજ્ય હરિયાણાની સરકારે 100 મિલિયન ગેલન પ્રતિ દિવસ (MGD) પાણી છોડ્યું નથી, જેના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટ સર્જાયું છે. આતિશીને મંગળવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીની લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે આતિશીના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે, "ગઈ રાતથી તેનું બ્લડ શુગર લેવલ ઘટી રહ્યું હતું. જ્યારે અમે તેના બ્લડ સેમ્પલ આપ્યા ત્યારે શુગર લેવલ 46 હતું. જ્યારે અમે પોર્ટેબલ મશીન વડે તેમનું શુગર લેવલ ચેક કર્યું ત્યારે તે 36 આવ્યુ. ડૉકટરો તપાસ કરી રહ્યા છે અને પછી જ તેઓ કોઈ સૂચન આપશે."

AAP સાંસદ સંજય સિંહે કહ્યું, "તેમનું બ્લડ સુગર લેવલ ઘટીને 43 થઈ ગયું છે. ડૉક્ટરોએ તેમને તેમની હાલત વધુ બગડે તે પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે. તેમને LNJP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. તેમણે છેલ્લા 5 દિવસોથી કંઈ ખાધું નથી. તેમનું શુગર લેવલ ઘટી રહ્યું છે, કીટોન વધી રહ્યુ છે અને બીપી ઘટી રહ્યું છે તે પોતાના માટે નથી લડી રહ્યા, તે દિલ્હીના લોકો માટે લડી રહી છે.

અગાઉ, આમ આદમી પાર્ટી (AAP) એ જણાવ્યું હતું કે ડૉક્ટરોએ આતિશીને તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી પરંતુ તે દિલ્હીના પાણીના તેમના વાજબી હિસ્સા માટે લડી રહ્યા છે. AAP દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 21 જૂને ભૂખ હડતાળ પર જતા પહેલા આતિશીનું વજન 65.8 કિલો હતું જે હવે 63.6 કિલો થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે ભૂખ હડતાળ પર બેઠેલા જળ મંત્રી આતિશીએ કહ્યું છે કે જ્યાં સુધી હરિયાણા સરકાર દિલ્હીના લોકોને પાણીનો અધિકાર નહીં આપે અને હથનીકુંડ બેરેજના દરવાજા ખોલવામાં નહીં આવે ત્યાં સુધી તેમની અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ ચાલુ રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X