Delhi Liquor Policy Scam : અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, કોર્ટે ફગાવી જામીન અરજી
Delhi Liquor Policy Scam : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે.
રાઉસ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.
અરવિંદ કેજરીવાલે તેમની તબિયતને ટાંકીને સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.
રાઉસ એવન્યુ કોર્ટે આ અરજીને ફગાવી દીધી અને કહ્યું કે, જેલ પ્રશાસને અરવિંદ કેજરીવાલની બીમારી સંબંધિત તપાસ કરવી જોઈએ. આ રીતે કોઈને જામીન નહીં મળે.

અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરતા ED એ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
EDનો આરોપ છે કે, સતત પ્રચાર કરી રહેલા અરવિંદ કેજરીવાલની તબિયત જ્યારે આત્મસમર્પણ કરવાનો સમય આવ્યો, ત્યારે જ કેમ બગડી હતી.












Click it and Unblock the Notifications
