જજ મુરલીધરની ટ્રાન્સફર પર રાહુલ ગાંધીએ યાદ અપાવી જસ્ટીસ લોયાની
દિલ્લી હાઈકોર્ટના જજ એસ, મુરલીધરની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તેમની ટ્રાન્સફર પર કોંગ્રેસ પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે.
દિલ્લી હાઈકોર્ટના જજ એસ, મુરલીધરની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. મુરલીધર એ જ જજ છે જેમણે દિલ્લીમાં ફેલાયેલી હિંસા પર પોલિસને ફટકાર લગાવી હતી. સુનાવણી દરમિયાન તેમણે ભડકાઉ ભાષણ આપનાર ભાજપ નેતાઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ પણ આપ્યો હતો. તેમની ટ્રાન્સફર પર કોંગ્રેસ પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, 'હું બહાદૂર જજ લોયાને યાદ કરી રહ્યો છુ જેમની ટ્રાન્સફર નહોતી કરવામાં આવી.'

આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ, અડધી રાતે જસ્ટીસ મુરલીધરની ટ્રાન્સફરથી નવાઈ લાગી. સરકાર ન્યાયનુ મોઢુ બંધ કરવા માંગે છે. આ દુઃખદ અને શરમજનક છે. તમને જણાવી દઈએ કે મુરલીધરની પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તેપાર્ટીના નેતા મનીષ તિવારીએ ટ્વિટ કરીને કહ્યુ, જજ મુરલીધરની કારણ વિના ચંદીગઢ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. અચાનકથી દિલ્લીમાં પોતાના નિવાસ પર અડધી રાતે તેમણે સુનાવણી કર્યા બાદ તેમની ટ્રાન્સફર કરવામાં આવી. તેમની સુનાવણીથી ઘણા લોકોના જીવ બચ્યા હશે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કાયદા મંત્રાલય તરફથી જારી ગજટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટીસ મુરલીધરને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં જજ તરીકે પદ સંભાળવાના નિર્દેશ આપ્યા છે. માહિતી માટે જણાવી દઈએ કે દિલ્લીમાં સોમનારે શરૂ થયેલી હિંસા મંગળવારે ઘણી વધી ગઈ હતી. ત્યારબાદ હિંસામાં ઘાયલોને સુરક્ષા અને સારા ઈલાજ માટે દિલ્લી હાઈકોર્ટના જજ મુરલીધરના ઘરે અડધી રાતે સુનાવણી થઈ હતી. કોર્ટે દિલ્લી પોલિસને નિર્દેશ આપ્યા હતા કે તે મુસ્તફાબાદની એક હોસ્પિટલથી એમ્બ્યુલન્સને સુરક્ષિત રસ્તો આપે અને દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવે. દિલ્લીના હિંસામાં અત્યાર સુધી 32 લોકોના જીવ ગયા છે જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
