દર્દીઓના પરિવારોને સરકારી હોસ્પિટલોમાં સસ્તું ભોજન આપવા દિલ્હી સરકારનો આદેશ!
તાજેતરમાં દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશમાં દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો, કર્મચારીઓ અને દર્દીઓના સંબંધીઓના ભોજન માટે બે કાફેટેરિયા ખોલવાની સૂચના આપવામાં આવી છે.
તાજેતરમાં દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશમાં દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો, કર્મચારીઓ અને દર્દીઓના સંબંધીઓના ભોજન માટે બે કાફેટેરિયા ખોલવાની સૂચના આપવામાં આવી છે. આ આદેશ આવતાની સાથે જ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ડૉ. અશોક કુમારના નેતૃત્વમાં છ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

આ કમિટી દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં કાફેટેરિયા ખોલવા માટેની જગ્યાની ઓળખ કરશે અને તેને આરોગ્ય વિભાગને મોકલશે. આ પછી ટૂંક સમયમાં દર્દીઓના પરિવારજનોને સરકારી હોસ્પિટલોમાં સસ્તા ભાવે સ્વાદિષ્ટ ભોજન મળી રહેશે. હોસ્પિટલોમાં ખોલવામાં આવેલા આ કાફેટેરિયા હોસ્પિટલોમાં 24 કલાક ખુલ્લા રહેશે.
આરોગ્ય વિભાગના આદેશમાં પહેલાથી જ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે દર્દીઓના સગાંઓ માટે બનેલા આ ભોજનાલયો હોસ્પિટલમાં બેડ પ્રમાણે બનાવવામાં આવશે. જો હોસ્પિટલમાં 500 થી વધુ બેડ હશે તો એક હજારથી દોઢ હજાર ચોરસ ફૂટ જગ્યામાં કાફેટેરિયાની વ્યવસ્થા કરવામાં આવશે. જો હોસ્પિટલમાં 500 થી ઓછા બેડ હશે તો 800 થી 1000 ચોરસ ફૂટમાં કાફેટેરિયા બનાવવામાં આવશે.
આ સાથે હોસ્પિટલોમાં ડોક્ટરો અને કર્મચારીઓ માટે અલગથી 500 થી 800 ચોરસ ફૂટનું કાફેટેરિયા શરૂ કરવામાં આવશે. દિલ્હી સરકારનો હેતુ હોસ્પિટલોમાં આવતા દર્દીઓના પરિવારજનોને ઓછા પૈસામાં સ્વાદિષ્ટ ભોજન આપવાનો છે. કારણ કે દર્દીઓની સાથે આવતા સગાઓ બહારથી મોંઘું ભોજન ખાય છે અને તે ભોજન સ્વાદિષ્ટ નથી હોતું તેથી દિલ્હી સરકાર આ પગલું ભરી રહી છે. આ કાફેટેરિયા દિલ્હી સરકાર હેઠળની 39 હોસ્પિટલોમાં ખુલશે.












Click it and Unblock the Notifications
