કોરોનાના દૈનિક કેસોમાં ફરીથી ઘટાડો, 24 કલાકમાં 8318 નવા કેસ અને 10967 દર્દી રિકવર
ભારતમાં કોરોનાના પીડિતોની સંખ્યા હજુ 1 લાખથી વધુ છે. વળી, છેલ્લા 24 કલાકમાં વાયરસના કારણે જીવ ગુમાવનારની સંખ્યા પણ વધી છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસ મહામારીના પીડિતોની સંખ્યા હજુ 1 લાખથી વધુ છે. વળી, છેલ્લા 24 કલાકમાં વાયરસ મહામારીના કારણે જીવ ગુમાવનારની સંખ્યા પણ વધી છે. હાલમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે કાલે દેશભરમાં 465 મોત થયા. આ તરફ રોજ નવા મળી રહેલા દર્દીઓનો આંકડો પણ 8 હજારથી વધુ છે. કાલે સંક્રમણના 8318 નવા કેસ નોંધવામાં આવ્યા. જો કે રિકવર થનારા લોકોની સંખ્યા પણ તેજીથી વધી રહી છે. કાલે 10,967 લોકો રિકવર પણ થયા. સક્રિય દર્દીઓનો આંકડો 1,07,019 છે.

વેક્સીનનો 121 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે
આરોગ્ય મંત્રાલય તરફથી આજે આપવામાં આવ્યુ કે ભારતમાં કોરોના વાયરસ મહામારીના બચાવ માટે લોકોને અત્યાર સુધી 121.06 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. વળી, સંક્રમણનો કુલ આંકડો 3.4 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે. જેમાંથી રિકવરીના કેસ 33988797 છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 400થી વધુ લોકોની કોરોનાથી મોત થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 467933 મોત થઈ ચૂક્યા છે. વળી, કાલે આખા દિવસમાં 73,58,017 લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે કુલ વેક્સીનેશન 1,21,06,58,262 સુધી પહોંચી ગયુ.
આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં એકલા કેરળ રાજ્યમાંથી સંક્રમણના 4677 કેસ નોંધવામાં આવ્યા. વળી, રાહતના સમાચાર એ પણ છે કે ત્યાં સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કાલે કેરળમાં 6632 લોકો રિકવર પણ થયા. મોતની વાત કરવામાં આવે તે 33 લોકોએ દમ તોડ્યો. મંત્રાલયની લેટેસ્ટ અપડેટ મુજબ હવે દેશભરમાં કોરોનાના સક્રિય દર્દી 1.07,019 મળ્યા છે.
કેરળ ઉપરાંત કર્ણાટકમાં કોરોના વાયરસ મહામારીના કુલ કેસ 29,94,963, કુલ રિકવરી 29,50,130, કુલ મોત 38,193 અને સક્રિય કેસ 6611 છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 402 કેસ સામે આવ્યા. 277 દર્દી ડિસ્ચાર્જ થયા અને 6 લોકોના કોરોનાથી મોત થયા. વળી, પૂર્વોત્તર ભારતીય રાજ્ય આસામમાં કોરોના વાયરસના સક્રિય કેસ 1444, કુલ કેસ 6,16,312 કુલ રિકવરી, 607,435 અને કુલ મોત 6086 છે. વિભાગે જણાવ્યુ કે આસામમાં કોરોના વાયરસ મહામારીના 175 નવા કેસ સામે આવ્યા, 219 રિકવરી અને કોરોના વાયરસથી એક પણ મોત થયુ નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
