UP: જનતા દરબારમાં સીએમ યોગીએ કહ્યુ - સરકારની કલ્યાણકારી યોજનાઓથી કોઈ પણ નહિ રહે વંચિત

Gorakhpur News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરના મહંત દિગ્વિજયનાથ સ્મૃતિ સભાગૃહ સામે જનતા દરબારમાં દૂર-દૂરથી આવેલા સેંકડો ફરિયાદીઓની સમસ્યાઓ સાંભળી હતી. આ દરમિયાન ઘણા ફરિયાદીઓએ મુખ્યમંત્રી પાસે આવાસની માંગણી કરી હતી.

મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને અનેક જરૂરી સૂચનાઓ આપી હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ત્રણસોથી વધુ ફરિયાદીઓ જનતા દરબારમાં મુખ્યમંત્રીના આગમનની રાહ જોઈ રહ્યા હતા. સીએમ યોગી જેવા જનતા દરબારમાં આવ્યા કે તરત જ ફરિયાદ કરનારાઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યુ. સીએમ પોતે એક પછી એક ફરિયાદીઓ પાસે ગયા અને તેમની સમસ્યાઓ જાણી.

yogi adityanath

જે લોકો પાસે પોતાનુ ઘર નથી એવા ઘણા લોકો પણ જનતા દરબારમાં આવ્યા હતા. જ્યારે તેમણે સીએમ પાસે આ માંગણી કરી તો તેમણે બધાને ખાતરી આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારની દરેક કલ્યાણકારી યોજનાનો લાભ દરેકને મળશે. તેનાથી કોઈ વંચિત નહીં રહે.

ફરિયાદ લઈને આવેલી મહિલાએ જ્યારે પોતાની આર્થિક સમસ્યા મુખ્યમંત્રીને જણાવી ત્યારે તેમણે તરત જ અધિકારીઓને મહિલાને તેની યોગ્યતાના આધારે પેન્શન આપવા સૂચના આપી. મકાનોની માંગ પર, મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ મકાનો આપવાનો નિર્દેશ આપ્યો.

આ સાથે સીએમએ સારવાર માટે પૈસાની માંગણી કરવા આવેલા લોકોને કહ્યું કે પૈસાના અભાવે કોઈની સારવાર અટકશે નહીં, વહીવટીતંત્રને મળીને અંદાજની પ્રક્રિયા પૂર્ણ કરો. મુખ્યમંત્રીએ અધિકારીઓને તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યુ હતુ. આ સાથે જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X