CM માનેએ અમેરિકામાં પંજાબી પરિવારની હત્યા અંગે વિદેશ મંત્રાલય પાસે ન્યાયની માગ કરી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમેરિકાના કેલિફોર્નિયામાં પંજાબી પરિવારની હત્યાની તપાસ માટે યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની ફેડરલ સરકાર પર દબાણ વધારવા તેમજ દખલ વધારવા માટે કેન્દ્રીય વિદેશ મંત્રી પાસે માગ કરી હતી.
ચંદીગઢ, 6 ઓકટોબર : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમેરિકાના કેલિફોર્નિયામાં પંજાબી પરિવારની હત્યાની તપાસ માટે યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની ફેડરલ સરકાર પર દબાણ વધારવા તેમજ દખલ વધારવા માટે કેન્દ્રીય વિદેશ મંત્રી પાસે માગ કરી હતી.

પહેલા પરિવારનું અપહરણ કરવામાં આવ્યું
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યના હોશિયારપુર જિલ્લાના હરસી ગામના એક પંજાબીપરિવારની કેલિફોર્નિયામાં હત્યા કરવામાં આવી તે ખૂબ જ દુઃખદ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર પહેલા પરિવારનું અપહરણ કરવામાં આવ્યુંઅને બાદમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.

સમગ્ર વિશ્વમાં વસતા પંજાબીઓને હચમચાવી દીધા છે
ભગવંત માને જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખ જસદીપ સિંહ, જસલીન કૌર, અમનદીપ સિંહ અને આઠ મહિનાની બાળકી રુહી તરીકે થઈ છે.આ એક ખૂબ જ નિંદનીય ઘટના છે, જેણે દરેકને ખાસ કરીને સમગ્ર વિશ્વમાં વસતા પંજાબીઓને હચમચાવી દીધા છે.

પંજાબીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા
ભગવંત માને વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ક્રૂર હત્યાએ અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ પંજાબીઓની સુરક્ષા પર સવાલોઉભા કર્યા છે.
કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ જય શંકર પાસે હસ્તક્ષેપની માંગણી કરીને, તેમણે તેમને આ બાબતે ગહન તપાસ કરવામાટે યુનાઇટેડ સ્ટેટ્સની ફેડરલ સરકાર પર દબાણ વધારવા અપીલ કરી હતી.

પંજાબીઓમાં સુરક્ષાની ભાવના પેદા કરવી એ સમયની જરૂરિયાત છે
પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિદેશમાં વસતા પંજાબીઓમાં સુરક્ષાની ભાવના પેદા કરવી એ સમયની જરૂરિયાત છે. ભારત સરકારેઅમેરિકામાં રહેતા પંજાબીઓની સુરક્ષાનો મુદ્દો અમેરિકામાં તેમના સાથીઓ સાથે ઉઠાવવો જોઈએ, ત્યાં રહેતા પંજાબીઓની સુરક્ષા સુનિશ્ચિતકરવા માટે તેમને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
