અનિલ દેશમુખ સામે CBIએ નોંધાવી FIR, ઘર સહિત ઘણી જગ્યાએ પાડી રેડ
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખની મુશ્કેલીઓ ફરીથી વધી ગઈ છે કારણકે સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર નોંધી લીધી છે.
મુંબઈઃ વસૂલી મામલે નામ આવ્યા બાદ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખની મુશ્કેલીઓ ફરીથી વધી ગઈ છે કારણકે સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર નોંધી લીધી છે. આ કેસ પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહના આરોપોના આધારે નોંધવામાં આવ્યો છે. સમાચાર એ પણ છે કે ત્યારબાદ સીબઆઈએ દેશમુખના ઘર સહિત ઘણી જગ્યાએ રેડ પાડી. જો કે હજુ સુધી એ જાણવા મળ્યુ નથી કે ત્યાંથી સીબીઆઈને શું મળ્યુ છે.

વાસ્તવમાં મુંબઈ પોલિસના પૂર્વ કમિશ્નરે દેશમુખ અને સચિન વાજે પર ગંભીર આરોપ લગાવીને બૉમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેના પર કોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે પહેલા 15 દિવસમાં સીબીઆઈ કેસની પ્રારંભિક તપાસ કરીને રિપોર્ટ આપે, જો કેસ સાચો જોવા મળે તો જ દેશમુખ સામે એફઆઈઆર નોંધવામાં આવે. આ નિર્ણયના આધારે સીબીઆઈએ હવે દેશમુખ સામે કેસ નોંધાવ્યો છે. સાથે જ ઘણી જગ્યાએ રેડ પાડી જેમાં તેમનુ ઘર પણ શામેલ છે.
વાજેની ધરપકડથી બદલાઈ સ્થિતિ
વાસ્તવમાં એંટીલિયા કેસમાં પોલિસ અધિકારી સચિન વાજેનુ નામ સામે આવવા પર એનઆઈએએ તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલિસના ઘણા અધિકારીઓ પર પણ તપાસની તલવાર લટકી, જેને જોઈને સરકારે મુંબઈ પોલિસ કમિશ્નર પરમબીર સિંહની ટ્રાન્સફર કરી દીધી. આ દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ તેમના પર ઘણી ટિપ્પણીઓ કરી. જેનાથી નારાજ પરમબીર સિંહે દેશમુખ સામે મોરચો ખોલી દીધો અને મહારાષ્ટ્રના સીએમના નામ એક પત્ર લખીને તેને સાર્વજનિક કરી દીધો.
પરમબીરનો આરોપ છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખનો હાથ સચિવ વાજે પર છે જેના કારણે તે ગેરકાયદે કામોને અંજામ આપતો હતો. આ ઉપરાંત દેશમુખે તેને મુંબઈના પબ, બાર, રેસ્ટોરાંમાંથી 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. આ વિશે વાજે ઘણી વાર દેશમુખના ઘરે મળવા ગયા. પરમબીરની માંગ હતી કે સીબીઆઈ આ કેસની તપાસ કરે નહિતર દેશમુખ બધા પુરાવા નષ્ટ કરી દેશે. જેના કારણે તે કોર્ટમાં પહોંચ્યા. કોર્ટના ચુકાદા બાદ જયશ્રીએ જણાવ્યુ કે ઉચ્ચ ન્યાયાલયે 15 દિવસમાં પ્રારંભિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન કોઈ ગુનો જોવા મળે તો એફઆઈઆર નોંધવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
