Survey : મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને બહુમતી, હરિયાણામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ
નવી દિલ્હી, 10 ઑગસ્ટ : લોકસભા ચૂંટણીમાં શાનદાર સફળતા બાદ હવે રાજ્યોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદૂ માથે ચઢી પોકારશે તેવા અણસાર મળે છે.
એબીપી ન્યુઝ અને નીલ્સનના સર્વે મુજબ હરિયાણા તથા મહારાષ્ટ્રમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની આંધી ચાલશે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી તથા હરિયાણામાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે. હરિયાણામાં ભાજપ પોતાના બળે સરકાર બનાવવાની પરિસ્થિતિમાં હશે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને માત્ર 55 તો, હરિયાણામાં માત્ર 6 બેઠકો વડે સંતોષ માનવો પડી શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપને 122, શિવસેનાને 82, આરપીઆઈને 3 તથા એસડબ્લ્યુપીને 3 બેઠકો મળી શકે છે. આમ ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 210 જેટલી બેઠકો મળવાની શક્યતા છે.
સર્વે મુજબ મહારાષ્ટ્રમાં 54 ટકા લોકો માટે મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે, તો 33 ટકા લોકોની નજરે ભ્રષ્ટાચાર મોટો મુદ્દો છે. જોકે ભાજપ-શિવસેના સરકાર બનતા મુખ્યમંત્રી કોણ હશે, તે અંગે 43 ટકા લોકોએ કહ્યું કે મુખ્યમંત્રી ભાજપનો હોવો જોઇએ, જ્યારે 26 ટકા લોકો શિવસેનાનો સીએમ જોવા માંગે છે. તેવી જ રીતે 30 ટકા લોકોએ આ અંગે કોઈ મત વ્યક્ત નહીં કર્યો.
નોંધનીય છે કે 2009માં યોજાયેલ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 82, એનસીપીને 62, ભાજપને 46, શિવસેનાને 45, એમએનએસને 12 તથા અન્યોને 40 બેઠકો મળી હતી. સર્વે મુજબ મુખ્યમંત્રી પદ માટે સૌથી લોકપ્રિય ઉમેદવાર કોંગ્રેસના પૃથ્વીરાજ ચવ્હાણ જ છે. તેમને 21 ટકા લોકો પસંદ કરે છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે 18 ટકા તથા ભાજપના દેવેન્દ્ર ફડનીસ 16 ટકા લોકોના ટેકા સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે.
એકલા હાથે લડે તો ભાજપ આગળ
સર્વે મુજબ જો મહારાષ્ટ્રમાં તમામ દળો એકલા હાથે ચૂંટણી લડે, તો કોંગ્રેસને 45, એનસીપીને 38, ભાજપને 112, શિવસેનાને 62, એસડબ્લ્યુપીને 1, એમએનએસને 11 તથા અન્યોને 19 બેઠકો મળી શકે. જો ભાજપ-એનસીપી-એમએનએસ વચ્ચે યુતિ થાય, તો આ યુતિને 200, શિવસેનાને 40, કોંગ્રેસને 35, આરપીઆઈ અને અન્યોને 13 બેઠકો મળવાની શક્યતા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
