ભાજપી સાંસદ પ્રવેશ વર્માનું એલાન- રતનલાલ અને અંકિત શર્માના પરિવારને 1-1 મહિનાનો પગાર આપીશ
ભાજપી સાંસદ પ્રવેશ વર્માનું એલાન- રતનલાલ અને અંકિત શર્માના પરિવારને 1-1 મહિનાનો પગાર આપીશ
નવી દિલ્હીઃ દિલ્હી હિંસામાં અત્યાર સુધી 42 લોકોના જીવ ચાલ્યા ગયા છે અને હજી પણ 200 જેટલા લોકો ઘાયલ છે જેમનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે અને ઘણી સંખ્યામાં લોકો લાપતા પણ છે, આ હિંસામાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલ અને આઈબી ઑફિસર અંકિત શર્માનું પણ મોત થયું છે, જ્યારે આ દરમિયાન પશ્ચિમી દિલ્હીથી લોકસભા સાંસદ પ્રવેશ વર્માએ રતનલાલ અને અંકિતના પરિવારને પોતાની એક-એક મહિનાનો પગાર આપવાનું એલાન કર્યું છે.

પ્રવેશ વર્માનું એલાન
પ્રવેશ વર્માએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે, તેમણે ટ્વીટ કર્યું કે દિલ્હીમાં થયેલ દુર્ભાગ્યપૂર્ણ હિંસા દરમિયાન પોતાનું કર્તવ્ય નિભાવતા શહીદ થનાર દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ શહીદ રતન લાલ અને આઈબી ઑફિસર શહીદ અંકિત શર્માને મારી એક-એક મહિનાનો પગાર સમર્પિત કરું છું, જય હિંદ.

પ્રવેશ વર્મા પર હેટસ્પીચ આપવાનો આરોપ
જણાવી દઈએ કે પ્રવેશ વર્મા પર હેટ સ્પીચ આપવાનો આરોપ છે, દિલ્હી હાઈકોર્ટમાં દિલ્હી પોલીસે જે ચાર નેતાઓના વિવાદિત નિવેદનોનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં પ્રવેશ વર્મા પણ એક હૈંબીજેપી સાંસદના શાહીન બાગ પર આપેલ નિવેદનને કોર્ટ રૂમમાં દેખાડવામાં આવ્યું હતું. હાઈકોર્ટે દિલ્હી હિંસા મામલાની સુનાવણી દરમિયાન ચાર ભાજપી સાંસદોના વિવાદિત નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અપીલ કરી
જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે એવા તમામ લોકોને દિલ્હી પરત ફરવા અપીલ કરી જેઓ હિંસા દરમિયાન દિલ્હીથી પલાયન કરી ગયા હતા. કેજરીવાલે કહ્યું કે જે લોકો ડરના કારણે પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા હતા તેઓ પરત પોતાના ઘરે આવી જાય અને ભાઈચારા સાથે રહે.

રાહત અને પુનર્વાસના કામોની સમીક્ષા
મુખ્યમંત્રી કેજરીવાલે શનિવારે ઉત્તર પૂર્વના જિલ્લાધિકારી કાર્યાલયમાં હિંસાથી પ્રભાવિત લોકો માટે રાહત અને પુનર્વાસના કામોની સમીક્ષા કરી. આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પ્રદેશના મુખ્ય સચિવ, એસડીએમ હિત તમામ અધિકારી હાજર હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
