સુપ્રીમ કોર્ટના 1045 પેજના ચુકાદા બાદ આ બે મોટા રહસ્યો પરથી ન ઉઠ્યો પડદો

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ આ ચુકાદો સંભળાવ્યો છે પરંતુ હજુ સુધી આ કેસમાં મોટી વાતોની માહિતી સામે આવી શકી નથી.

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ આ ચુકાદો સંભળાવ્યો છે પરંતુ હજુ સુધી આ કેસમાં મોટી વાતોની માહિતી સામે આવી શકી નથી. પહેલી એ કે આ ચુકાદાને કયા જજે લખ્યો. કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે કહ્યુ કે આ ચુકાદો સર્વસંમતિથી આપવામાં આવ્યો છે. પરંતુ આમાં એ સ્પષ્ટ ન થઈ શક્યુ કે છેવટે કયા જજે આ ચુકાદાને સમર્થન નથી આપ્યુ.

કયા જજે લખ્યો ચુકાદો?

કયા જજે લખ્યો ચુકાદો?

કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતી વખતે એ માહિતી આપી છે કે ચુકાદાને બેંચ તરફથી કયા જજે લખ્યો છે. આ કેસમાં 1045 પાનાંના ચુકાદાને જે જજે લખ્યુ છે તેનુ નામ જાહેર નહિ કરવાનુ કારણ પણ કોર્ટ તરફથી જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે આ કેસ ઘણો સંવેદનશીલ હતો, આ કારણે જજના નામની માહિતી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે અયોધ્યા કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય પીઠે કરી હતી જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ કરી હતી.

છેવટે કેમ વિવાદિત સ્થળ રામજન્મભૂમિ છે?

છેવટે કેમ વિવાદિત સ્થળ રામજન્મભૂમિ છે?

કોર્ટના ચુકાદામાં 11 પાનાંમાં એ વાતની માહિતી આપવામાં આવી છે કે છેવટે કેમ વિવાદિત સ્થળ ભગવાન રામની જન્મભૂમિ છે. એટલુ જ નહિ જજમેન્ટના આ ભાગને કયા જજે લખ્યુ છે. પાંચ જજોની પીઠમાં એક જજે જન્મભૂમિના મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જજમેન્ટના અંતિમ ભાગમાં કહેવામાં આવ્યુ છે કે રામ જન્મભૂમિના મુદ્દે અમારામાથી એક જજે સંમતિ દર્શાવી નથી. છેવટે કયા જજે આના વિરોધમાં કેમ પોતાનો વાંધો દર્શાવ્યો તે વાતનો ઉલ્લેખ જજમેન્ટમાં છે.

ગયા ચુકાદામાં હતો જવાબ

ગયા ચુકાદામાં હતો જવાબ

આ કેસમાં 2010ના ઈલાહાબાદ કોર્ટના ચુકાદાને જોઈએ તો તેમાં આની માહિતી આપવામાં આવી હતી કે શું ભગવાન રામનો જન્મનો જન્મ ત્યાં થયો હતો, શું મંદિરને તોડવામાં આવ્યુ હતુ જેથી તેના પર મસ્જિદ બનાવી શકાય. એ ચુકાદામાં જજોનુ મંતવ્ય ખુલીને લખવામાં આવ્યુ હતુ. એટલુ જ નહિ હાલમાં બંધારણીય પીઠના ચુકાદામાં નજર નાખીએ તો જજોનુ મંતવ્ય સામે રાખવામાં આવ્યુ છે. આધાર અને ગોપનીયતાના અધિકાર વિશે કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેમાં જજોનુ મંતવ્ય તેમના નામ સાથે જાહેર કરવામાં આવ્યુ હતુ.

વિવાદિત સ્થળ પર બનશે રામ મંદિર

વિવાદિત સ્થળ પર બનશે રામ મંદિર

કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યુ છે કે 2.77 એખરની અયોધ્યામાં વિવાદિત જમીન કેન્દ્ર સરકાર દ્વારા રચિત ટ્રસ્ટને આપવામાં આવશે કે જે રામ મંદિરના નિર્માણનુ કામ કરશે. પાંચ જજોની બેંચની અધ્યક્ષતા કરી રહેલ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ કે હિંદુઓને અમુક શરતો પર મંદિરની જમીન આપવામાં આવશે. હિંદુ પક્ષને આ જમીન આપવા સાથે જ મસ્જિદ બનાવવા ટે પાંચ એકરની જમીન આપવી પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X