અબ્દુલ કલામ પુણ્યતિથિઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના 12 મહત્વપૂર્ણ કોટ્સ
આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ પાકિર જૈનુલાઅબદીન અબ્દુલ કલામ (એપીજે અબ્દુલ કલામ)ની પુષ્ણતિથિ છે.
આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ પાકિર જૈનુલાઅબદીન અબ્દુલ કલામ (એપીજે અબ્દુલ કલામ)ની પુષ્ણતિથિ છે. કલામને ભારતીય મિસાઈલ પ્રોગ્રામના જનક માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો તેમને 'મિસાઈલમેન' પણ કહે છે. આ ઉપરાંત તે દેશના એવા રાષ્ટ્રપતિ હતા જેમને 'જનતાના રાષ્ટ્રપતિ' કહેવામાં આવતા હતા. 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમાં જન્મેલા અબ્દુલ કલામનુ મૃત્યુ 27 જુલાઈ 2015ના રોજ થયુ તો આખો દેશ શોકમાં ડૂબી ગયો. 85ની ઉંમરમાં યુવાનોનું જોશ ધરાવતા કલામનુ મૃત્યુ મેઘાયલમાં થયુ હતુ જ્યારે તે બાળકોને લેક્ચર આપી રહ્યા હતા. ગરીબીમાં બાળપણ વીત્યા બાદ પણ તે એક સફળ વૈજ્ઞાનિક અને એન્જિનિયર રૂપે પ્રખ્યાત છે. અબ્દુલ કલામે પોતાના જીવનકાળમાં ઘણા એવા અનમોલ વિચાર આપ્યા જે લોકો માટે પ્રેરણાદાયક બન્યા. અહીં અમે તમને તેમણે લખેલા અમુક ખાસ કોટ્સ બતાવવા જઈ રહ્યા છે જે તમારા માટે એક બહેતર જીવન વ્યતીત કરવાં સહાયક બની શકે છે.

‘સૂરજ જેવુ ચમકવુ હોય તો સૂરજ જેવા બળો'
- જો તમે સૂરજની જેમ ચમકવા ઈચ્છતા હોવ તો પહેલા સૂરજની જેમ બળો.
- તમારા મિશનમાં સફળ થવા માટે, તમારે તમારા લક્ષ્ય પ્રત્યે એકચિત્ત નિષ્ઠાવાન થવુ પડશે.
- આપણે હાર ન માનવી જોઈએ અને આપણે સમસ્યાઓથી પોતાને હરાવવા ન દેવા જોઈએ.
- સપના એ નથી જે તમે ઉંઘમાં જુઓ, સપના એ છે જે તમને ઉંઘ ન આવવા દે.

સમાજમાં ત્રણ જ લોકો લાવી શકે છે મોટો ફેરફાર
- પોતાની આજ કુરબાન કરો જેથી આગળ આવનારી પેઢીને સારી કાલ મળી શકે.
- વિજ્ઞાન માનવતા માટે એક સુંદર ભેટ છે, આપણે એને બગાડવુ ન જોઈએ.
- જો કોઈ દેશને ભ્રષ્ટાચાર મુક્ત થવુ હોય અને સુંદર દિમાગવાળા લોકોથી ભરવુ હોય તો સમાજમાં ત્રણ એવા લોકો છે જે આવુ કરી શકે છે. તે છે - પિતા, માતા અને અધ્યાપક.
- રચનાત્મકતા ભવિષ્યમાં સફળતાની કુંજી છે અને પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ શિક્ષક બાળકોની રચનાત્મકતાને ઉભારી શકે છે.

‘મુશ્કેલીઓથી મળેલી સફળતામાં જ આનંદ છે'
- મુશ્કેલીઓ બાદ મળેલી સફળતા જ અસલી આનંદ આપે છે. એક નેતા એ હોય છે જેના પોતાના કંઈ વિચાર હોય, જેને કંઈ કરવાની ઈચ્છા હોય. જે મુશ્કેલીઓથી ડરે નહિ. જેને ખબર હોય કે સમસ્યાઓનો સામનો કેવી રીતે કરાય. સૌથી મહત્વપૂર્ણ, જે પોતાની વાત પર અડગ રહે.
- જે દિવસે સિગ્નેચર ઑટોગ્રાફમાં બદલાઈ જાય, માન લો કે તમે સફળ થઈ ગયા.
- કોઈને હરાવવા બહુ સરળ છે પરંતુ કોઈની જીતી લેવા ખૂબ મુશ્કેલ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
