પંજાબના કૃષિમંત્રીએ ખેડૂતોને કચરો ન સળગાવવા અપીલ કરી, જાણો કેમ?

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભગવંત માન સરકાર ખેડૂતો માટે ઘણા પગલા ભરી રહી છે. હાલમાં જ પંજાબ સરકારના કૃષિ કલ્યાણ વિભાગ અને અમૃતસર જિલ્લા પ્રસાશન દ્વારા આત્મા યોજનાના સહયોગથી જિલ્લા સ્તરીય ખેડૂત પ્રશિક્ષણ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરાયુ હતું. અમૃતસરના ગુરૂનાનક ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને કેસરની ખેતીની આધુનિક ટેકનિકની માહિતી અપાઈ હતી. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

Punjab

કેબિનેટ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું અને ડેપ્યુટી કમિશનર હરપ્રીત સિંહ સુદને કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. જોઇન્ટ ડાયરેક્ટર એગ્રીકલ્ચર ડો.રાજ કુમારે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે કુલદીપ સિંહ ધાલીવાલે ખેડૂતોને ખેતરોમાં કચરાને આગ ન લગાડવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, નવી કૃષિ નીતિ તમારા વિચારોથી તૈયાર કરવામાં આવી રહી છે અને તે પંજાબની ખેતીને નવી દિશા આપશે. તેમણે કહ્યું કે અમે લણણી સાથે પાકના નુકસાનનું વળતર આપવાના છીએ અને આ કામ માટે ગીરદાવરી કરવામાં આવી રહી છે.

તેમણે ખેડૂતોને સંબોધતા કહ્યું કે, કોઈ પણ કર્મચારીને ખોટો રિપોર્ટ કરાવવાની લાલચ ન આપો અને જો કોઈ તમને ન્યાય ન કરે તો અમારા ધ્યાન પર લાવો. તેમણે ખેડૂતોને વૈવિધ્યસભર ખેતી માટે ઘઉં અને ડાંગરના પાકથી બહાર આવવાનું પણ સૂચન કર્યું હતું. ડેપ્યુટી કમિશનર હરપ્રીત સિંહ સુદને કહ્યું કે, અમે અમારા ખેડૂતોને મદદ કરવા હંમેશા તૈયાર છીએ પરંતુ ખેડૂતો કૃષિ વૈવિધ્યકરણ અને આગલા પાકની રોપણી જેવી પહેલો માત્ર પાયાના સ્તરે આગ લગાવ્યા વિના લાગુ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X