ABP Cvoter Survey : પંજાબમાં આપ નંબર વન, જાણો શું છે કોંગ્રેસ-ભાજપની હાલત!

પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. એબીપી-સીવોટરના સર્વે મુજબ 117 સીટોવાળી પંજાબ એસેમ્બલીમાં AAPને 52 થી 58 સીટો મળવાનો અંદાજ છે.

પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. એબીપી-સીવોટરના સર્વે મુજબ 117 સીટોવાળી પંજાબ એસેમ્બલીમાં AAPને 52 થી 58 સીટો મળવાનો અંદાજ છે. આ સિવાય સત્તાધારી કોંગ્રેસ પાર્ટી માત્ર 37 થી 42 સીટો પર જ રહેતી જોવા મળી રહી છે. જો કે આમ આદમી પાર્ટી નજીકના માર્જિનથી બહુમતી ગુમાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં સત્તા માટેનો જાદુઈ આંકડો મેળવવા માટે કોઈપણ પક્ષ માટે 59 બેઠકો મેળવવી જરૂરી છે, પરંતુ 7થી 1 બેઠક આમ આદમી પાર્ટીની ખૂટતી જોવા મળી રહી છે. બીજી તરફ ઓપિનિયન પોલમાં ભાજપ, કેપ્ટન અમરિંદર સિંહ અને ધીંડસાના ગઠબંધનને માત્ર 1 સીટ મળવાની આગાહી કરવામાં આવી છે.

punjab assembly election 2022

એટલું જ નહીં વોટ ટકાવારીની દૃષ્ટિએ આમ આદમી પાર્ટીને મોટી લીડ મળતી દેખાઈ રહી છે. સર્વે અનુસાર AAPને રાજ્યમાં 40 ટકા વોટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 36 ટકા વોટ મળી શકે છે. 2017 સુધી સત્તામાં રહેલા અકાલી દળને આ વખતે માત્ર 18% મત મળવાની ધારણા છે. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના કારણે લાઇમલાઇટમાં આવેલી ભાજપને માત્ર 2 ટકા વોટ મળવાનો અંદાજ છે. જો આ ઓપિનિયન પોલ સાચો સાબિત થશે તો અકાલી દળની સાથે ભાજપ, કોંગ્રેસને પણ મોટો ઝટકો લાગશે. કેપ્ટન અમરિન્દર સિંહે પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસને ઘણી આશાઓ છે, ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી બન્યા અને નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ સ્થિતિમાં સર્વેના પરિણામો તેની ચિંતામાં વધારો કરશે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ 2017માં 20 સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસે રાજ્યમાં 77 બેઠકો સાથે સત્તા મેળવી હતી, જ્યારે AAPને રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ બનવાની તક મળી હતી. હવે સર્વેમાં આમ આદમી પાર્ટી સત્તા જીતવા તરફ આગળ વધી રહી હોવાનું જણાય છે. જો આમ થશે તો છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળશે. નોંધનીય છે કે પંજાબમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતે પ્રચારની કમાન સંભાળી છે અને વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢાને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

પંજાબના સર્વેમાં આમ આદમી પાર્ટીને આગળ વધવાનું મુખ્ય કારણ માલવામાં મળતી સફળતા છે. સર્વે અનુસાર રાજ્યના માલવામાં આમ આદમી પાર્ટીને 39 થી 43 સીટો મળી શકે છે. આ પ્રદેશમાં કુલ 69 બેઠકો છે, જેમાંથી કોંગ્રેસને માત્ર 13થી 17 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. બીજી તરફ અકાલી દળને અહીં 10થી 14 બેઠકો મળવાની આશા છે. ભાજપ ગઠબંધનને શૂન્યથી 2 બેઠકો મળી શકે છે.

આ સિવાય 23 સીટોવાળા દોઆબા વિસ્તારમાં AAPને 7 થી 11 સીટો અને કોંગ્રેસને 7 થી 11 સીટો મળવાનું અનુમાન છે. અકાલી દળને અહીં 2 થી 6 અને ભાજપને માત્ર 1 સીટ મળવાની ધારણા છે. આ સિવાય માંઝાની 25 સીટોમાંથી કોંગ્રેસ 14 થી 18 સીટો મેળવીને સૌથી મોટી પાર્ટી બની શકે છે. આપને અહીં માત્ર 3 થી 7 સીટો જ મળતી હોય તેવું લાગે છે. આ રીતે માલવા આપનો ગઢ બનતો જણાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X