અહેમદ પટેલના નિધનથી દુઃખી સંજય રાઉતે કહ્યુ - વફાદારી કોઈ તેમનાથી શીખે
શિવસેના સાંસદ સંજય રાઉતે અહેમદ પટેલના નિધન પર શોક પ્રગટ કર્યો.
નવી દિલ્લીઃ 71 વર્ષીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આજે દુનિયાને અલવિદા કહી દીધુ. એક લાંબુ પરંતુ લો-પ્રોફાઈલ રાજકીય સફર પસાર કરનાર અહેમદ પટેલના નિધનથી માત્ર કોંગ્રેસી જ નહિ પરંતુ બીજા પક્ષોના લોકો પણ ખૂબ વધુ દુઃખી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે અહેમદ પટેલના નિધન પર શોક પ્રગટ કરીને કહ્યુ કે બે દિવસ પહેલા જ હું અહેમદ પટેલના પરિવારને મળ્યો હતો અને સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ તેમના પરિવાર સાથે વાત કરી હતી.

હું તેમના પરિવારવાળાને અહેમદ પટેલને એર એમ્બ્યુલન્સથી મુંંબઈ આવવા માટે પણ કહ્યુ હતુ, ખબર નહોતી કે બે દિવસ બાદ અહેમદ પટેલ જતા રહેશે. રાઉતે કહ્યુ કે આજે કોંગ્રેસે પોતાનો મજબૂત સ્તંભ ગુમાવી દીધો છે. આ પાર્ટીની બહુ મોટી ખોટ છે. બધા કાર્યકર્તાઓ અને રાજનીતિજ્ઞોને અહેમદ પટેલ પાસેથી વફાદારી શીખવી જોઈએ, તે ખૂબ જ શાંત, ધીરજવાન અને સમજદાર નેતા હતા. તેમનુ જવુ ખૂબ દુઃખદ છે. હું તેમના આત્માની શાંતિ માટે ઉપરવાળાને પ્રાર્થના કરુ છુ.
અહેમદ પટેલે મેદાંતા હોસ્પટલમાં લીધા અંતિમ શ્વાસ
તમને જણાવી દઈએ કે બુધવારે સવારે અહેમદ પટેલ મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને 15 નવેમ્બરથી મેદાંતામાં ભરતી હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન પર બુધવારે શોક વ્યક્ત કર્યો અને કહ્યુકે તે સૌમ્ય અને મિલનસાર વ્યક્તિત્વના કારણે દરેક રાજકીય દળમાં તેમના મિત્ર હતા. વળી, પીએમ મોદીએ પણ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરીને ટ્વિટ કર્યુ કે અહેમદ પટેલજીના નિધનથી દુઃખી છુ. તેમણે સાર્વજનિક જીવનમાં ઘણા વર્ષો સમાજ સેવામાં વીતાવ્યા. પોતાના તેજ દિમાગ માટે જાણીતા અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં તેમની ભૂમિકા માટે હંમેશા યાદ કરવામાં આવશે.
અહેમદ પટેલના અંતિમ સંસ્કાર તેમના ગામમાં
તમને જણાવી દઈએ કે અહેમદ પટેલના અંતિમ સંસ્કાર તેમના ગામમાં થશે. ગુજરાતના ભરૂચ જિલ્લાના પીરામલ ગામના તેઓ રહેવાસી છે. પરિવારે જણાવ્યુ કે તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર તેમના ગામમાં થાય. તેમના દીકરાએ માહિતી આપીને બધા શુભચિંતકોને સામૂહિક સમારંભથી બચવાની અપીલ કરી છે. અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસ પાર્ટીનો ઝંડો 3 દિવસ સુધી ઝૂકેલો રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
