પંજાબ સરકારનો મોટો નિર્ણય, 36,000 એકર જમીન પરથી દબાણ હટાવાશે, સ્પેશિયલ ટાસ્ક ફોર્સની કરી રચના
પંજાબમાં હજારો એકર જમીન પર ગેરકાયદે કબજો છે. હવે નવી સરકારે જમીનને અતિક્રમણ મુક્ત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે.
ચંડીગઢ : પંજાબમાં હજારો એકર જમીન પર ગેરકાયદે કબજો છે. હવે નવી સરકારે જમીનને અતિક્રમણ મુક્ત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. મુખ્ય પ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની AAP સરકારે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે ગેરકાયદેસર અતિક્રમણોને દૂર કરશે. મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, જમીનો પર ગેરકાયદે કબ્જો કરનારાઓ પર બુલડોઝર ચલાવવામાં આવશે.

ટાસ્ક ફોર્સમાં ડીસી, એસડીએમ, તહસીલદાર, રેવેન્યુ ઓફિસર અને પોલીસ અધિકારીઓનો સમાવેશ
સરકારે રાજ્યભરમાં લગભગ 36,000 એકર પંચાયતી જમીનની ઓળખ કરી છે, જેના પર પ્રભાવશાળી લોકો દ્વારા ગેરકાયદે કબ્જો કરવામાં આવી રહ્યો છે. માન સરકારના મતે, આ વ્યવસાયોને કારણે સરકારની આવકનું મોટું નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં માન સરકારે આ ગેરકાયદેસર વ્યવસાયોને દૂર કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ ટાસ્ક ફોર્સમાં ડીસી, એસડીએમ, તહસીલદાર, રેવેન્યુ ઓફિસર અને પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.
ટાસ્ક ફોર્સ પહેલા તમામ જિલ્લાઓમાં ગેરકાયદે કબ્જો દૂર કરવા માટે પેપરવર્ક કરશે
માન સરકારનું કહેવું છે કે, આ ટાસ્ક ફોર્સ પહેલા તમામ જિલ્લાઓમાં ગેરકાયદે કબ્જો દૂર કરવા માટે પેપરવર્ક કરશે. ત્યાર બાદ જો કબ્જેદારો કબ્જો નહીં છોડે તો બળજબરીથી કબ્જો ખાલી કરાવવા કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેની જવાબદારી કબ્જેદારની રહેશે.
મુખ્યમંત્રી માનએ જણાવ્યું હતું કે, અમારી સરકાર સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરવા અંગે તમામના કાગળો તૈયાર કરાવી રહી છે. ગેરકાયદેસર ધંધો હવે સાંખી લેવામાં આવશે નહીં. અમારી સરકારમાં બુલડોઝર ચાલશે અને કોઈને બક્ષવામાં નહીં આવે.
પંજાબના મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, કબ્જેદારો કોઈને પણ છોડશે નહીં, પછી તે પ્રભાવશાળી રાજકારણી હોય કે અમલદાર. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પંજાબમાં પંચાયતોનો કુલ વિસ્તાર 6.68 લાખ એકર છે, જેમાંથી 1.70 લાખ એકર ખેતીલાયક જમીન છે. આવા સમયે જો બિનખેતી લાયક જમીનની સરેરાશ બજાર કિંમત રૂપિયા 30 લાખ હોય, તો રાજ્યમાં ગેરકાયદેસર રીતે કબ્જે કરેલી જમીનની કિંમત રૂપિયા 5,400 કરોડ થાય છે. આથી સરકાર આ ગેરકાયદેસર વ્યવસાયોને દૂર કરવા માટે ઝડપી કાર્યવાહી કરવા માગે છે. ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલનું કહેવું છે કે, પહેલા તબક્કામાં જ તેઓને 1000 એકરથી વધુ જમીન કબ્જામાંથી મુક્ત કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
