આંધ્ર પ્રદેશના પૂર્વ CM ચંદ્રાબાબુ નાયડુની રેલીમાં મચી ભાગદોડ, 7 લોકોના મોત
ચંદ્રાબાબુ નાયડુ કંદુકુર પહોંચ્યા, ત્યારે આ ઘટના ઘટી હતી. આ દરમિયાન રોડ શો દરમિયાન કેટલાક લોકો ગટરનું પાણી કેનાલમાં પડી ગયા હતા. જેના કારણે ત્રણ લોકોના શ્વાસ રૂંધાવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ્ય ચંદ્રબાબુ નાયડુ બુધવારના રોજ એક રેલી યોજી હતી. આ રેલીમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં 7 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત સ્થિર છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ ચંદ્રાબાબુ નાયડુ કંદુકુર પહોંચ્યા, ત્યારે આ ઘટના ઘટી હતી. આ દરમિયાન રોડ શો દરમિયાન કેટલાક લોકો ગટરનું પાણી કેનાલમાં પડી ગયા હતા. જેના કારણે ત્રણ લોકોના શ્વાસ રૂંધાવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. જ્યારે ટીડીપીના અન્ય બે કાર્યકરોનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ ભાગદોડ બાદ ચંદ્રબાબુ નાયડુ ઘાયલ કાર્યકરોને મળવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે મૃતકોના નજીકના સંબંધીઓ માટે 10 લાખ રૂપિયાનું વળતર અને NTR ટ્રસ્ટ દ્વારા તેમના બાળકોના શિક્ષણ માટે ભંડોળની જાહેરાત કરી હતી.
આવા સમયે તેલુગુ દેશમ પાર્ટીએ કાર્યકરોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ટીડીપીના રાષ્ટ્રીય મહાસચિવ અને નાયડુના પુત્ર નારા લોકેશે એક ટ્વીટમાં લખ્યું કે, ટીડીપી કાર્યકર્તાઓનું મૃત્યુ પાર્ટી માટે મોટું નુકસાન છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલોની સારી સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.
Andhra Pradesh | Seven TDP workers lost their lives after a scuffle broke out between party workers during a public meeting being held by TDP leader N Chandrababu Naidu in Kandukuru of Nellore district today.
— ANI (@ANI) December 28, 2022
7 people have lost their lives, injured admitted to hospital: Police pic.twitter.com/uqU1j8K66X
આ ઘટનામાં મૃતકોની ઓળખ આત્મકુરના દેવીનેની રવીન્દ્ર બાબુ, કોંડામુડુસુપલમના કલાવાકુરી યાનાડી, ઉલ્વાપાડુના યાતાગિરી વિજયા, કંદુકુરુના કાકુમણી રાજા, ગુલ્લાપાલેમના મારલાપાઈ ચિન્ના કોંડૈયા અને કંડુકુરુના પી પુરૂષોથમ તરીકે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી, જ્યારે કોઈ મોટા નેતાની રેલીમાં નાસભાગ મચી હોય. આ પહેલા પણ અનેક મોટા નેતાઓની રેલીમાં નાસભાગના સમાચાર આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
