મોદીએ આ કારણે મુસ્લીમ નેતાને ના આપી ટીકિટ

અહેવાલ અનુસાર નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2011માં કરેલા સદભાવના ઉપવાસ બાદ પોતાની મુસ્લીમ વિરોધી છબી સુધારવા ભાજપ દ્વારા મુસ્લીમ ઉમેદવાર ઉભો રાખવા માગતા હતાં, પરંતુ તેમણે અને તેમની કોર કમિટિએ છેલ્લી ઘડીએ આ નિર્ણય એટલા માટે પડતો મૂક્યો કારણ કે તેઓ લઘુમતીઓને રિજવવા પોતાના બહુમતિ મતબેન્કને નારાજ કરવા માગતા ન્હોતા.
'આ નિર્ણય વિધાનસભાની ચૂંટણીમાં એક જુગાર રમવા બરાબર સાબિત થઇ જતો, કારણ કે ગુજરાતમાં હિન્દુ વોટર મોદીને હિન્દુ રક્ષક તરીકે જુએ છે' એવું બીજેપીના એક વરિષ્ઠ નેતાએ હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું. માટે મોદીએ લઘુમતિ વોટ તરફ નહી પરંતુ બહુમતિ વોટ તરફ લક્ષ્ય રાખી એક પણ મુસ્લીમ નેતાને ટીકિટ આપી નહીં.
તેમણે જણાવ્યું કે 'જો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ 2014ની સામાન્ય ચૂંટણી માટે પ્રોત્સાહિતકર્તા રહેશે ત્યારબાદ મોદી માટે પોતાની સિમ્બોલીક છબી બનાવવાનો પૂરતો સમય મળી રહેશે. ત્યારબાદ પાર્ટી યોગ્ય સમય જોઇને રાજ્યસભામાં મુસ્લીમ ઉમેદવાર ઉતારશે.'
જોકે બીજેપી પ્રવક્તા નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે 'મોદીના સદભાવના ઉપવાસ એ કોઇ મુસ્લીમ સમુદાયને રિઝવવા માટે ન્હોતા, નહી કે તેમનું સમર્થન મેળવવા. જ્યારે અમે દરેક બેઠક પરથી લડી રહ્યા છીએ ત્યારે જીતવાની ક્ષમતા મહત્વની છે, અમે કોઇને મનાવવામાં માનતા નથી.'
મોદી જ્યારે 6 કરોડ ગુજરાતીઓની વાત કરતા હોય ત્યારે તેમાં દરેક ધર્મ અને જાતિના લોકોનો સમાવેશ થઇ જાય છે. અને આ વખતે ભાજપની ચૂંટણી રણનીતિ પણ 'એક મત ગુજરાત' પર નિર્ભર છે. પરંતુ એ બધાની વચ્ચે ભાજપ હિન્દુત્વવાદી વલણ કેવીરીતે છોડી શકે.
મોદી અને તેમના અંગત સલાહકારોએ મુસ્લીમ નેતાને ટીકિટ નહી આપવા પાછળનું એક બીજુ કારણ એ પણ દર્શાવી શકાય કે કેશુભાઇની ગુજરાત પરિવર્તન પાર્ટીએ પણ એક પણ મુસ્લીમ નેતાને ટીકિટ આપી નથી. આથી જો ભાજપ મુસ્લીમ નેતાને ટીકિટ આપે તો હિન્દુઓ નારાજ થઇને કેશુભાઇની પાર્ટી તરફ વળી જાય.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
