હું નરેન્દ્રભાઇ નથી, માણસ છું, ભૂલો કરું છું : રાહુલ ગાંધી
ટ્વિટ કરીને ફસાયા પછી રાહુલ ગાંધીએ ભૂલને આ રીતે સ્વીકારી લોકોનું મન જીતવાનો કર્યો પ્રયાસ. જાણો આ અંગે વધુ અહીં .
ટ્વિટર પર ખોટા આંકડા આપી ટ્રોલ થયા પછી રાહુલ ગાંધીએ બુધવારે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે હું મારા ભાજપના મિત્રોને જણાવવા માંગુ છું કે નરેન્દ્ર મોદી નથી. હું માણસ છું. અને ભૂલો કરીને જ સીખું છું. ભૂલો આપણા જીવનને રસપ્રદ બનાવે છે. તમે મારું ધ્યાન દોર્યું તે માટે આભાર અને આવનારા સમયમાં પણ આ રીતે કરતા રહેજો. જેના કારણે હું સચ્ચાઇને સુધારી શકું. આમ બીજી રીતે જોવા જઇએ તો ટ્વિટ કરીને ફસાયા પછી રાહુલ ગાંધીએ ભૂલને આ રીતે સ્વીકારી લોકોનું મન જીતવાનો કર્યો પ્રયાસ હતો.

નોંધનીય છે કે રાહુલ ગાંધી હાલ એક પછી એક સવાલ પુછીને મોદી પર પ્રહાર કરી રહ્યા હતા. પણ આમ કરવામાં ચક્કરમાં સાતમો સવાલ પૂછીને તે જાતે જ મુશ્કેલીમાં ફસાઇ ગયા હતા. સાતમાં સવાલ વખતે રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે સિલેન્ડરની કિંમત 2014માં 414 રૂપિયા હતા. જે વર્ષ 2017માં તે વધીને 742 રૂપિયા થઇ ગઇ. જેમાં નવા અને જૂના ભાવમાં 79 ટકાનો ફરક છે. પણ ગ્રાફિકમાં 179 ટકા લખ્યું હતું. જે પછી સોશ્યલ મીડિયાએ રાહુલ ગાંધીને પોતાનું ગણિત સુધારવાનું કહ્યું હતું. આ મામલે રાહુલે ટ્વિટ કરીને આ રીતે જવાબ આપ્યો હતો.
For all my BJP friends: unlike Narendrabhai, I am human. We do make the odd mistake and that’s what makes life interesting. Thanks for pointing it out and please do keep it coming, it really helps me improve. Love you all.
— Office of RG (@OfficeOfRG) December 6, 2017












Click it and Unblock the Notifications
