ગુજરાતમાં કુપોષણના લીધે ત્રમ મહિનામાં 2447 નવજાત બાળકો અને 156 માતાના મૌત
ગુજરાતમાં કોપુષની સ્થિતિમાં કોઇ સુધારો જોવા મળ્યો નથી. આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા ત્રમ મહિનામાં 156 માતાઓના અને 2447 નવ જાત શિશુઓના ઓછા વજનના લીધે મૃત્યુ થયા છે. રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં કુપોષણની સમસ્યા વધારે જોવા મળે છે. દાહોદ જિલ્લમાં સૌથી વધારે 215 બાળકોના મૃત્યુ થયા છે. જ્યારે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા 7,15,515 છે છેલ્લા ત્રણ મહિનામાં 1,20,328 બાળકોએ જન્મ લીધો છે.

ગુજરાત આરોગ્ય વિભાગના આકંડા મુજબ 1 એપ્રિલથી 30 જુન સુધી એનિમિયના ગંબીર બિમારીથી પીડિત 2132 પ્રસુતાના કેસ સામે આવ્યા છે. જ્યારે ઓછા વજન ધરાવતા અતિ કુપોષિત બાળકોની સખઅયા 24,121 છે.
હેલ્થ એપ્લિકેશન ડેટા અનુસાર છેલ્લા 91 દિવસમાં દાહોદમાં 215 બાળકોના મૌત થયા છે. અમદાવાદ શહેરમાં 199, બનાસકાઠામાં 166, મહેસાણામાં 142, આણંદમાં 113 અને સાબરકાઠામાં 105 નવજાત શિશુઓના મોત થયા છે.
અમદાવાદ શહેરમાં 15 પ્રસુતા માતાના મૌત થયા છે. કચ્છમાં 11, બનાસકાઠા અને દાહોદમાં 10, રાજકોટમાં 9 વડોદરામાં 7 અને ભરૂચમાં 3 માતાના મૌત થયા છે.












Click it and Unblock the Notifications
