૧થી ૩૦ સેક્ટરના મળીને અંદાજે ૪૩૦ કિલોમીટર પાઈપલાઈનનુ સેવરેજ નેટવર્ક ગાંધીનગર ધરાવે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરના ડ્રેનેજ નેટવર્કના સુવ્યવસ્થિત વ્યવસ્થાપનની જરૂરિયાત ધ્યાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, ગાંધીનગર શહેરની ડ્રેનેજલાઈન નેટવર્કના સંચાલન,મરામત અને નિભાવણીની કામગીરી માર્ગ-મકાન વિભાગને બદલે હવે ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવશે.
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની સ્થાપના વર્ષ-૨૦૧૦ માં થઈ તે પહેલાંથી હાલ સુધી આ સંપૂર્ણ કામગીરી રાજ્ય સરકારના માર્ગ મકાન અને પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવે છે.
હાલની વ્યવસ્થા મુજબ ગાંધીનગરના સેક્ટર ૧થી ૩૦ તેમ જ તેમાં સમાવિષ્ટ ૭ ગામો બોરીજ, પાલજ, વાસણ, ધોળાકુવા, ઈન્દ્રોડા, આદિવાડા અને ગોકળપુરામાં દરરોજ એવરેજ કુલ ૬૬ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે.
આ પાણીનો ઉપયોગ થયા બાદ થતા ડ્રેનેજના પાણીના જથ્થાને રહેવાસીઓના ઘરેથી એકત્રિત કરીને મુખ્ય ડ્રેનેજ પાઈપલાઈન દ્વારા સરગાસણ અને જાસપુરના એસ.ટી.પી.માં યોગ્ય ટ્રિટમેન્ટથી શુદ્ધ કરવા પહોંચાડવામાં આવે છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ આશરે ૪૩૦ કિ.મી. લંબાઈની સેવરેજ નેટવર્ક પાઈપલાઈન છે.
ગાંધીનગરમાં વર્તમાન અને ભવિષ્યની ડ્રેનેજ પાણીના નિકાલની જરૂરિયાતોને અનુસરીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે માર્ગ-મકાન વિભાગ દ્વારા ગાંધીનગરમાં ભૂગર્ભ ગટરના નવિનીકરણની કામગીરી પ્રગતિમાં છે.
આ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે.પ્રથમ તબક્કે સેક્ટર ૧૫થી ૩૦ માટે હાઉસ કનેક્શન સાથે તમામ ગ્રેવિટી ડ્રેનેજ નેટવર્ક બદલી નાખવાની તેમ જ સેક્ટર ૧થી ૧૪ માટે રિંગ રોડ સાથે જોડાયેલી મુખ્ય લાઈન સાથે રિંગ રોડના ડ્રેનેજ નેટવર્ક બદલવાની કામગીરી સહિતની વિવિધ કામગીરીનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં ગાંધીનગરના ક, ખ, ગ, ઘ અને ચ રોડમાંથી પસાર થતી મુખ્ય લાઈનમાંથી ડ્રેનેજના પ્રવાહને પસાર કરીને સરગાસણ એસ.ટી.પી. પ્લાન્ટમાં મોકલવા તેમ જ નવા વસેલા સેક્ટરો 1થી 14માં પાઈપલાઈન નાખવાની કામગીરી અને પમ્પિંગ સ્ટેશન સહિત સ્કાડા સિસ્ટમ બનાવવાની કામગીરી કરવામાં આવશે.
રાજ્યના અન્ય મહાનગરોમા ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી મહાનગર પાલિકાઓ પાસે છે તે જ પ્રમાણે આ ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી પણ હવે ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવશે.
આના પરિણામે ગાંધીનગરમાં ગટર વ્યવસ્થાનું હેન્ડલિંગ મહાનગર પાલિકાને તબદીલ થતાં સિટી સેવરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાપન વધુ અસરકારક બનાવીને સેનિટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા સાથે નાગરિકોને સારી સેવા પૂરી પાડી શકાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
