શ્રદ્ધા અને ઉત્સાહથી સોમનાથની ભૂમિ પર તમિલ પરિવારોએ કરી ‘પૂથાંડુ વઝથુકલ'ની ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની નેમને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈ સોમનાથ તમિલ સમાજમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સોમનાથ તમિલ સમાજ પોતાના બંધુઓને આવકારવા થનગની રહ્યો છે.
આ કાર્યક્રમ પૂર્વે ૧૪ એપ્રિલના રોજ મૂળ તમિલ સૌરાષ્ટ્રિયન સમાજે પોતાના નવા વર્ષ 'પૂથાંડુ વઝથુકલ'ની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી અને ગરબે ઘૂમીને પોતાના બંધુઓને આવકારવા માટે ઉત્સાહ દાખવ્યો હતો.

મૂળ તમિલનાડુના પરંતુ દાયકાઓથી અહીં ગીર સોમનાથને કર્મભૂમિ બનાવી રહેતા તમિલ પરિવારે રંગેચંગે પોતાના નવા વર્ષ 'પૂથાંડુ વઝથુકલ'ની ઉજવણી કરી હતી. સ્ત્રીઓએ માથામાં ફૂલની વેણી અને સાડી, તો પુરૂષોએ પરંપરાગત લૂંગી-ખેસ સહિત તમિલ સંસ્કૃતિ દર્શાવતા વસ્ત્રો ધારણ કરી અને રંગેચંગે ગુજરાતી ગરબે ઘૂમી અને પોતાના વતનને યાદ કરી ઉત્સવની ઉજવણી કરી હતી.
દાયકાઓથી અહીં વસવાટ કરતા તમિલ પરિવારમાંથી કોઈ માછીમારી તો કોઈ ઈડલી-ઢોસાની લારી, કોઈ સુતારીકામ તો કોઈ લુહારીકામ સાથે પણ સંકળાયેલા છે. તમિલ પરિવારના અહીં આશરે ૪૮ જેટલા કુટુંબ છે જેના 300 જેટલા સભ્યો તહેવારોની ઉજવણીથી લઈને વ્યવસાય એમ તમામ મોરચે સમગ્ર રીતે ગુજરાતી બન્યા છે.
ગીર સોમનાથ તમિલ સમાજ પ્રમુખ દેવરાજભાઈ પિલ્લઈએ જણાવ્યું હતું કે, 'સૌરાષ્ટ્ર તમિલ સંગમના માધ્યમથી અમારા બંધુઓ પ્રભાસની ભૂમિ પર આવી રહ્યા છે તેમને ઉમળકાભેર સ્વાગત કરવા અમારો સમાજ આતુર છે'
તિરૂપતિ ઢોસાની દુકાન ચલાવતા જય પ્રતાપભાઈ નાડારે જણાવ્યું હતું કે, 'મારા પરદાદા નાગરકોઈલથી પ્રભાસની ભૂમિ પર સ્થાયી થયા જે પછીથી અમારો પરિવાર દાયકાઓથી ગુજરાતી જ બનીને રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના ભવ્ય આયોજન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જ ગુજરાત સરકારનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છું.'
સોમનાથમાં વસતા તમિલ પરિવારોએ નવ વર્ષની ઉજવણી નિમિત્તે તમામ ઘરે સુંદર મજાની રંગોળી કરી હતી અને રંગોળીની મધ્યમાં દિવાઓ પ્રગટાવી આરાધ્યદેવ પ્રત્યે શ્રદ્ધા દર્શાવી હતી. 'પૂથાંડુ વઝથુકલ'નો શુભ દિવસ સમગ્ર તમિલનાડુમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. સોમનાથમાં વસતા તમિલ સમુદાયે એ રીતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી કે જાણે સમગ્ર તમિલ જ સૌરાષ્ટ્રમાં દ્રશ્યમાન થયું હોય.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
