અનોખી પહેલઃ સુરતની ડાયમંડ કંપનીઓએ શરૂ કરી પોતાની એરલાઇન સેવા
સુરત, 22 ઓક્ટોબરઃ ગુજરાતના અન્ય શહેરો સાથે સુરતને હવાઇ માર્ગ થકી જોડવા માટેની પહેલ શહેર સ્થિત ચાર ડાયમંડ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ચાર કંપનીઓએ ભેગી થઇને એરલાઇન્સ સર્વિસ શરૂ કરી છે. આ કંપનીઓએ ત્રણ એરક્રાફ્ટ ખરીદી લીધા છે અને આ માટે અંદાજે 30 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, થોડાક વર્ષો પહેલા ગોવિંદ ધોળકિયાએ આ વિચાર બિઝનેસમેન અને અન્ય લોકો કે જેમને સુરત અવવા-જવા માટે તેની જરૂર છે. આખરે તેઓ ભેગા થયા અને આ પ્રકારની પહેલા શરૂ કરવાનું વિચાર્યું અને સુરતને એક હવાઇ કનેક્ટિવિટી આપવાનું નક્કી કર્યું. તેમને હેતુ નફો રળવાનો નથી. તેમની ફ્લાઇટ ત્યારે પણ ટેક ઓફ કરશે જ્યારે તેમાં માત્ર એક મુસાફર હશે.
આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતા લાલજી પટેલે જણાવ્યું કે, અમારા દ્વારા ત્રણ એરક્રાફ્ટની ખરીદી કરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 30થી 40 કરોડ રૂપિયા છે. અમે બે નવ સીટર અને એક ચાર સીટર પ્લેન ખરીદ્યું છે. બે પ્લેન જે નવ સીટર છે ગુજરાતના ચોક્કસ રૂટ પર ઉડાન ભરશે, જ્યારે નાનું ફોર સીટર પ્લેન ચાર્ટર્ડ સર્વિસ માટે છે. તેનો ઉપયોગ એર એમ્બ્યુલન્સ તરીકે પણ કરવામાં આવશે, આ પ્લેનમાં અનેકવિધ હાઇટેક સુવિધા છે તેમજ તે નાઇટ વિઝનમાં લેન્ડિંગ અને ટેક ઓફ કરી શકે તેવી ટેક્નોલોજીનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો છે.
એરલાઇન લાયસન્સ અંગે તેમણે જણાવ્યું કે, તેમણે આ એરલાઇનને ઓપરેટ કરવા માટે લાયસન્સ અથવા અન્ય કોઇ રજીસ્ટ્રેશન માટે અરજી કરી નથી કારણ કે, અમે આ પ્રોજેક્ટને ભોપાલ સ્થિત વેન્ચ્યુરા એરલાઇન સાથે આગળ વધારી રહ્યાં છીએ અને તેની પાસે લાયસન્સ છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ દેશ ઉપરાંત આખા વિશ્વ સાથે ડીલિંગ કરે છે, પરંતુ અહીંથી દરરોજ માત્ર બે જ ફ્લાઇટ ટેક ઓફ અને લેન્ડિંગ થાય છે. તેથી અમે વિચાર્યું કે વધુ ફ્લાઇટ્સને ઉમેરવામાં આવે, જે સુરતને ગુજરાતના અન્ય પાર્ટ્સની સાથોસાથ ભારત સાથે પણ જોડે.
પટેલે જણાવ્યું કે, દિવાળીથી આ ઓપરેશન શરૂ કરવામાં આવી શકે છે, જેને બાદમાં ગુજરાતની બહાર પણ વિસ્તારવામાં આવશે, આ એરલાઇન થકી ગુજરાતના એ શહેરોને જોડવામા આવશે જ્યાં એરપોર્ટ છે. અમે ભાવનગર અને રાજકોટ માટે સુરતથી રેગ્યુલર ફ્લાઇટ્સ શરૂ કરવાના છીએ, તેમજ અમે જામનગર, ભુજ અને પાલનપુરને પણ અમારા આ પ્રોજેક્ટમાં ઉમેરવાની યોજના બનાવી રહ્યાં છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
