શુભેચ્છા પાઠવવાના નામે શંકર સિંહે કોંગ્રેસને આમ સંભળાવ્યું
શંકર સિંહ વાઘેલાએ આપી અહમદ પટેલને જીતની શુભેચ્છાઓ. સાથે જ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. જાણો આ ખબર વિષે વિગતવાર અહીં.
ગુરુવારે, કોંગ્રેસના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ અહમદ પટેલની જીત પછી તેમને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ જે અહમદ પટેલને તેમણે વોટ નહતો આપ્યો તેમના અંગે બોલતા બાપુએ કહ્યું હતું કે પટેલ અને અમારો સંબંધ છે અને રહેશે. જો કે આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની જાટકણી નીકાળવાનો એક મોકો નહતો છોડ્યો. કોંગ્રેસ પર એક પછી એક આક્ષેપ કરતા શંકર સિંહે કહ્યું કે જો જીત આટલી જ સરળ હતી તો પછી કોંગ્રેસે કેમ તેમના ધારાસભ્યોને બંધક બનાવીને બેંગલુરુ લઇ જવા પડ્યા? વધુમાં તેમણે દોષનો ટોપલો દિલ્હી તરફ ફેંકીને કહ્યું કે અહમદ પટેલને દિલ્હીવાળા હરાવવા માંગતા હતા. સાથે જ તેમણે દાવો કર્યો કે કોંગ્રેસમાંથી 36 ધારાસભ્યો જવાના હતા અને આ માટે જ તેમણે બંધક બનાવ્યા હતા.

જો કે પોતાનો મત ભાજપને આપવા મામલે શંકરસિંહ વાઘેલાએ ખુલાસો આપતા કહ્યું કે અશોક ગહેલોતને મેં પહેલા જ કહ્યું હતું જો તેમણે પોતાના શબ્દો પાછા ના લીધા તો હું રાજીનામું આપીશ. તેમણે પોતાના શબ્દો પાછા ના ખેંચતા મારે ભાજપને વોટ આપવો પડ્યો. વધુમાં બાપુએ કોંગ્રેસ્ દ્વારા કરવામાં આવેલા ચૂંટણીપંચની ફરિયાદને લઈને જણાવ્યું હતું કે, બધુ પહેલેથી પ્લાનિંગ કરેલ હતું અને પરિણામ પહેલા જ દલીલ તૈયાર રાખવામાં આવ્યા હતા. ચૂંટણી એજેન્ટ એવું ના કહેવું જોઇકે બધાને તમારો મત દેખાડો અને તેમણે પોતાની જગ્યાએથી ઉભું પણ ના થવું જોઈએ.
વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ 47 ધારાસભ્યોની માલિકે જીત માટે બીજા પક્ષોના ધારાસભ્યો પર આધાર કેમ રાખવો પડ્યો. તેમણે આ આખી જીત માટે જીડીયુ અને એનસીપીના વોટની મદદને કારણભૂત જણાવી હતી. જો કે આજે કોંગ્રેસમાંથી જે 14 ધારાસભ્યોને નીકાળવામાં આવ્યા તે અંગે બોલતા શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું કે જે લોકોએ ભાજપને વોટ આપ્યા છે તેમની ચિંતા હવે ભાજપ કરશે. જો કે પોતે આવનારા સમયમાં કોઇ પણ પાર્ટીમાં જોડાવાના નથી તેવી વાત પણ તેમણે જણાવી હતી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
