ખાતરના વધુ ભાવ મુદ્દે પાલ આંબલિયાએ સરકારને પત્ર લખ્યો, વધુ ભાવ વસૂલાતા હોવાનો આક્ષેપ!
છેલ્લા કેટલાક સમયથી ખાતરના ભાવ વધારાને લઈને સતત બબાલ ચાલી રહી છે. કંપનીઓએ ખાતરના ભાવ વધાર્યા બાદ સરકારે સબસિડીમાં વધારો કરી ભાવ વધારો મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી ખાતરના ભાવ વધારાને લઈને સતત બબાલ ચાલી રહી છે. કંપનીઓએ ખાતરના ભાવ વધાર્યા બાદ સરકારે સબસિડીમાં વધારો કરી ભાવ વધારો મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. જો કે હવે આ ભાવ વધારો પાછો ખેંચાયા બાદ પણ વધેલા ભાવે જ ખાતર વેચાતું હોવાની ફરીયાદો મળી રહી છે. જેને લઈને કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પત્ર લખી માંગ કરી છે કે સરકાર યોગ્ય પગલા લે અને ભાવ બાબતે યોગ્ય ચોખવટ કરે, જેથી ખેડૂતોને વધારાના રૂપિયા ન ચૂકવવા પડે. પત્રમાં જણાવ્યા અનુસાર NPK 12:32:16 ખાતરની વધેલા ભાવ પાછા ખેંચાયા બાદ કિંમત 1185 રૂપિયા છે. હવે ફરિયાદો મળી રહી છે કે આ ખાતર 1400 થી 1470 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યું છે. પાલ આંબલિયાએ આ સાથે બિલના પુરાવા પણ સરકારને મોકલ્યા છે.
અહીં ઉલ્લેખનિય છે કે, NPK 12:32:16 ખાતરના ભાવમાં સરકારે વધારો કર્યો હતો. આ વધારો થયા બાદ વિરોધ થતા ભાવ વધારો પાછો ખેંચવાની ફરજ પડી હતી. જે બાદ કેંદ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ આ ભાવ વધારો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. આ વધારાની ભાવની સબસિડી આપવાની પણ વાત હતી. આ સબસિડી વધારી મુળ ભાવે ખાતર વેચવા આવનાર હતું. પરંતું હવે વધેલા ભાવે ખાતર વેચાતા વિવાદ વધી રહ્યો છે. પાલ આંબલિયાએ વિગતવાર તમામ મુદ્દે સરકારને સવાલ કરી જવાબ માંગ્યા છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આગામી સમયમાં આ બાબતે શું પગલા ભરે છે.
ઉલ્લેખનિય છે કે, એક તરફ પેટ્રોલ ડિઝલ અને બીજી તરફ ખાતરના ભાવ વખતા હવે ખેડૂતોમાં રોષ છે. આ બાબતે આગામી સમયમાં હવે રાજનીતિ ગરમાઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર શું પગલા ભરે છે.
પાલ આંબલિયાએ એ પણ સવાલ કર્યો છે કે એક તરફ સરકાર સબસિડી વધારી ભાવ વધારો પાછો ખેંચી રહી છે તો બીજી તરફ કંપનીઓ સરકાર ઉપરવટ જઈને કરોડો રૂપિયાની સબસિડી લીધા બાદ પણ મોંધા ભાવે ખાતર કેમ વેચી રહી છે? હવે આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ મુદ્દો ગરમાઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
