'કોર્ટની મંજૂરી વગર કોઇપણ ચૂંટણી લડશે નહીં', પૂર્વ મંત્રીએ આપી બાંહેધરી
વિપુલ ચૌધરીએ તેમના કાનૂની વકીલો દ્વારા એક બાંહેધરી આપવામાં આવી હતી કે, તેમને કોઈ પણ ચૂંટણી લડશે નહીં અને કોર્ટની સ્પષ્ટ પરવાનગી વગર કોઈપણ સહકારી મંડળીઓ માટે નામાંકન માંગશે કે સ્વીકારશે નહીં.
ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેચે મંગળવારના રોજ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અમુલના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સહકારી મંડળીઓના ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રારને ગુજરાત કોઓપરેટીવ સોસાયટીઝ એક્ટની જોગવાઈઓ હેઠળ બહાર પાડવામાં આવેલી શોકોઝ નોટિસ પર વધુ કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપીને વચગાળાની રાહત આપી છે. આ સાથે વિપુલ ચૌધરીને આગામી છ વર્ષ માટે કોઈ સહકારી ચૂંટણી લડવા અથવા હોદ્દો સંભાળવા માટે કેમ ગેરલાયક ઠરાવવામાં આવ્યો છે, એ અંગેના કારણો માંગ્યા છે.

આ સુનાવણી દરમિયાન વિપુલ ચૌધરીએ તેમના કાનૂની વકીલો દ્વારા એક બાંહેધરી આપવામાં આવી હતી કે, તેમને કોઈ પણ ચૂંટણી લડશે નહીં અને કોર્ટની સ્પષ્ટ પરવાનગી વગર કોઈપણ સહકારી મંડળીઓ માટે નામાંકન માંગશે કે સ્વીકારશે નહીં.
સહકારી મંડળીઓના ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ગત વર્ષે સપ્ટેમ્બરના ઓર્ડર દ્વારા ચૌધરીને 1961ના કાયદાની કલમ 76 બી (2)ની જોગવાઈઓ અનુસાર ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વહીવટી સમિતિના સભ્ય તરીકે દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 22 સપ્ટેમ્બર, 2020માં જિલ્લા રજિસ્ટ્રારે ચૌધરીને કારણદર્શક નોટિસ આપી હતી કે, શા માટે તેમને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે અને શા માટે તેમને કોઈપણ સહકારી મંડળીમાં કોઈ હોદ્દો ન ધરાવવો જોઈએ.
વિપુલ ચૌધરીને મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. ના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને તે જ વર્ષે ચૌધરીને સોસાયટીના હિતને પ્રતિકૂળ રીતે વર્તવાના આધારે શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. વિપુલ ચૌધરીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને ત્રણ વર્ષના સમયગાળા માટે તેમના હોદ્દા પર અથવા કોઈપણ સહકારી મંડળીમાં ચૂંટણીમાં ભાગ લેવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
વિપુલ ચૌધરીએ આ કાર્યવાહીને પડકારી હતી અને ત્યારબાદ 2017માં સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષના સમયગાળા માટે હટાવવા અને ગેરલાયક ઠેરવ્યો હતો. આમ વિપુલ ચૌધરીને વર્ષ 2018 સુધી કોઈપણ સહકારી મંડળીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ચૂંટણી અને પાંચ વર્ષના સમયગાળા માટે જુલાઈ 2017માં સમાજના મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ઉલ્લંઘનને કારણે ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રારે શોકોઝ નોટિસ જારી કરી હતી. જેને પડકારવામાં આવી છે અને હાલ તેની સુનાવણી ચાલી રહી છે.
ડિવિઝન બેચે નિર્દેશ આપ્યો હતો કે, ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રાર શોકોઝ નોટિસના સંદર્ભમાં આગળ નહીં વધે. કોર્ટે નોંધ્યું છે કે, વિપુલ ચૌધરીની રજૂઆતને આધીન રાહત છે કે, તે કોઇ સહકારી મંડળીઓ માટે ચૂંટણી લડશે નહીં અને કોર્ટની પરવાનગી વગર કોઇ સહકારી મંડળીઓ દ્વારા નામાંકિત થશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
