મહાગુજરાત આંદોલનના પ્રણેતાને વિજય રૂપાણીએ આપી ભાવાંજલિ
મહાગુજરાત આંદોલનના મુખ્ય અગ્રણી અને અનુભવી ગાંધીવાદી ઇન્દુલલ યાજ્ઞિક, જે ઈન્દુ ચચા તરીકે જાણીતા હતા.
1લી મે ગુજરાતના સ્થાપના દિવસ તરીકે મનાવાય છે. 1956 માં શરૂ કરાયેલા મહાગુજરાત આંદોલનના ફળ સ્વરૂપે 1960માં મહારાષ્ટ્રથી છૂટું પડી ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. આ અંદોલનના મુખ્ય પ્રણેતા અને પીઢ ગાંધીવાદી ઇન્દુલાલ યાજ્ઞિક, જેઓ ઇન્દુચાચા નામથી પણ ઓળખાય છે, તેમનો ગુજરાત રાજ્ય સ્થપનામાં બહુ મહત્વનો ફાળો છે. ઇન્દુચાચા મહાગુજરાત ચળવળ ચલાવવા ગામડે-ગામડે ફરતા. તેમના ખીસામાં ભોજન માટે તે ચણા ભરીને જતા અને ભૂખ લાગતૈા ચણા ખાઈને ગુજરાન ચલાવતા હતા. ઇન્દુચાચા સાદગીનું પ્રતિક હતા.

કોઈ પણ લાલચ વિના, તેમનો મુખ્ય ધ્યેય એક જ હતો, ગુજરાત રાજ્યની સ્થાપના. આજના યુવાઓ ગુજરાતના આ પ્રણેતા એટલે કે ઇન્દુચાચાને ભૂલી ગયા છે.
મહાગુજરાતની લડતના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા સમક્ષ શ્રદ્ધા સુમન અર્પણ કરી ભાવાંજલિ આપી... pic.twitter.com/Jlepmq7jiQ
— Vijay Rupani (@vijayrupanibjp) May 1, 2017
આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્દુચાચાની પ્રતિમા તેમજ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે 16 કરોડ જેટલા ખર્ચે બનેલ હોમગાર્ડ ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. 1000 જેટલા હોમગાર્ડ જવાનોએ માનવસાંકળ રચીને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ હોમગાર્ડના જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કર્યા હતાં. સરદાર બાગ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિજય રૂપાણીએ જાહેર સભાને સંબોધી હતી.

આ સાથે જ અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે શ્રવણ તીર્થ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાતના ધાર્મિક સ્થળ સોમનાથ, અંબાજી, પાવાગઢ જેવા યાત્રાધામોને ગુજરાત એસટી નિગમ સર્વિસથી જોડવામાં આવ્યાં છે. શ્રાવણ તીર્થ યોજના મુજબ 45 કે તેથી વધુ સિનિયર સીટીઝનના સમૂહને યાત્રાધામના સ્થળે લઇ જવા પરત લાવવા માટે સરકાર દ્વારા એસટીબસના ભાડામાં 50 ટકા રાહત આપવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
