માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહ, CM સાંજે આપશે હાજરી, લાખોની મેદની ઉમટી
રવિવારે રાષ્ટ્રપતિએ માધવપુરમાં 5 દિવસીય મેળો ખુલ્લો મુક્યા બાદ આજે 13 એપ્રિલના રોજ ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવશે.
માધવપુરઃ રવિવારે રાષ્ટ્રપતિએ માધવપુરમાં 5 દિવસીય મેળો ખુલ્લો મુક્યા બાદ આજે 13 એપ્રિલના રોજ ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવશે. સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પ્રસંગે હાજરી આપવા પહોંચશે. બારસના દિવસે દ્વારકાધીશ પ્રભુના લગ્ન થાય છે. બપોરે 2 વાગે ભગવાનનો પષ ભરાય છે, તિલક કરાય છે અને હારતોરા કર્યા પછી ભગવાન શ્રીકૃષ્ણને રથમાં બેસાડવામાં આવે છે. રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ ભગવાનને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહોત્સવ માટે લાખોની માનવ મેદની ઉમટી
ઢોલ-નગારા, દાંડિયા રાસની રમઝટ, કિર્તન સાથે વાજતે-ગાજતે જાન મેળાના ગ્રાઉન્ડમાં પહોંચશે. મેળામાં ભગવાનનો રથ પૂરજોશમાં દોડાવવામાં આવશે. આગળ પોલિસની જીપ અને જાનૈયાઓથી ઘેરાયેલા રથનુ દ્રશ્ય જોવાલાયક હોય છે. હાલમાં માધવપુરના મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહોત્સવ માટે લાખોની માનવ મેદની ઉમટી રહી છે. મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિવિધ મંડળો દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

રુકમણીના મામરેયા કરશે મામેરુ
કડછ ગામના મહેર જ્ઞાતિના લોકો કે જેઓ રુકમણી મામરિયા કહેવાય છે તેઓ નાચતા-કૂદતા, ગુલાલની છોળો ઉડાડતા ઉંટ, ઘોડા લઈને માધવરાય મંદિરે રાજભોગ દર્શનમાં આવશે અને રુકમણી મામેરુ આપી ધજા ચડાવશે. ત્યારબાદ ઉંટ, ઘોડાની કરામતો બતાવશે. 4 વાગે નિજ મંદિરેથી જાન મધુવનમાં શ્રીકૃષ્ણ-રુકમણી લગ્ન માટે જવા રવાના થશે.

માધવપુરનો મેળો દેશની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક એકતાનુ પ્રતીક
તમને જણાવી દઈએ કે વિશ્વવિખ્યાત માધવપુર(ધેડ)ના પૌરાણિક લોકમેળાનુ ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરીને જણાવ્યુ હતુ કે માધવપુરનો મેળો દેશની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક એકતાનુ પ્રતીક છે. આજના ઉત્તર પ્રદેશમાં જન્મેલા ભગવાન શ્રીકૃષ્ણએ ગુજરાતને કર્મભૂમિ બનાવી અને રાજકુમારી રુકમણી સાથે લગ્ન કર્યા. લોકમાન્યતા મુજબ માધવપુર ધેડ ગામની જમીન તેમના મિલનની સાક્ષી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ કે દ્વારકાના માધવજી અને અરુણાચલના રુકમણીની ભાષા અને સંસ્કૃતિ અલગ અલગ હોવા છતાં બંનેએ વિવાહ કરીને માધવપુરની ભૂમિને ધન્ય બનાવી છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
