ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર: શંકરસિંહ વાઘેલા
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા પર રાજનીતિ ગરમાઈ રહી છે.
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા પર રાજનીતિ ગરમાઈ રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ મોટો આરોપ લગાવતા પુલવામાં હુમલાને એક ષડયંત્ર ગણાવ્યું છે. તેમને આરોપ લગાવ્યો છે કે ભાજપા ચૂંટણી જીતવા માટે આતંકવાદનો સહારો લેતી રહી છે. શંકરસિંહ વાઘેલાના આ નિવેદન પછી ભારતની રાજનીતિ ગરમાઈ શકે છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પછી, ગુજરાતને જળ સંકટનો સામનો કરવો પડશે, ડેમમાં પાણી ઓછું

પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર: શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર હતું. એનસીપી નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પુલવામાં હુમલામાં આરડીએક્સ લઇ જવા માટે જે ગાડીનો ઉપયોગ થયો હતો, તેનું રજીસ્ટ્રેશન નંબર ગુજરાતનું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ગોધરા પણ ભાજપનું જ ષડયંત્ર હતું.

બાલાકોટમાં કોઈ નથી મર્યું: શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા ઘ્વારા બાલાકોટ એર સ્ટ્રાઇકને પણ સમજી વિચારીને કરેલું ષડયંત્ર ગણાવ્યું. તેમને કહ્યું કે બાલાકોટમાં કોઈ નથી મર્યું. કોઈ પણ ઇન્ટરનેશનલ એજેન્સી આ સાબિત નથી કરી શકી કે ત્યાં 200 આતંકીઓ માર્યા ગયા છે. વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પુલવામાં અંગે ખુફિયા સૂત્રો ઘ્વારા મળેલી જાણકારી છતાં પણ કોઈ પગલાં નહીં લેવામાં આવ્યા. શંકરસિંહ વાઘેલાએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે જો બાલાકોટ અંગે પહેલાથી જ જાણકારી હતી તો આ કેમ્પ પર પહેલા જ કોઈ કાર્યવાહી કેમ નહીં કરવામાં આવી.

ભાજપનું ગુજરાત મોડલ ખોટું: શંકરસિંહ વાઘેલા
ભાજપ પર પ્રહાર કરતા શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપનું ગુજરાત મોડલ ખોટું છે, રાજ્ય ઘણી મુસીબતનો સામનો કરી રહ્યું છે. ભાજપા નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
