Lok Sabha Election 2024: ગુજરાત પેટાચૂંટણીમાં થઇ શકે છે આપ-કોંગ્રેસનું ગઠબંધન
Lok Sabha Election 2024: ચૂંટણીપંચ દ્વારા શનિવારના રોજ લોકસભ ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે લોકસભા ચૂંટણીનું પહેલું ચરણ 19 એપ્રિલથી શરૂ થશે, અને સાતમા ચરણ એટલે કે અંતિમ ચરણમાં મતદાન 1 જૂનના રોજ થશે, જ્યારે 4 જૂનના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. તેમજ રાજ્યની કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થશે. આ દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસ અને AAP આ પેટાચૂંટણી સાથે મળીને લડવાના મૂડમાં છે.

પેટાચૂંટણી માટે કોંગ્રેસ-આપ ગઠબંધનઃ સૂત્રો - કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે. જેમાં ભરૂચ અને ભાવનગર બેઠક પરથી કોંગ્રેસ અને AAP ગઠબંધનના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
હવે વિધાનસભા પેટાચૂંટણીમાં પણ બંને પક્ષો વચ્ચે ગઠબંધન થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં મળેલી બેઠકમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
આ માટે બંને પક્ષો ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ 4 અને AAP 2 સીટો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ ઉપરાંત વિસાવદર બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેમનું માનવું છે કે, જો બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડે તો પેટાચૂંટણીમાં સારા પરિણામો આવવાની શક્યતાઓ છે. જેના માટે બંને પક્ષો પેટાચૂંટણીમાં ગઠબંધન કરવા માટે પોતાનો અભિપ્રાય હાઈકમાન્ડને મોકલી શકે છે.
આ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે - હાલમાં રાજ્યમાં 4 કોંગ્રેસ, 1 AAP અને 1 અપક્ષ નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને આ નેતાઓ ભાજપમાં જોડાયા છે. છ ધારાસભ્યોના રાજીનામાને કારણે તેમની બેઠકો ખાલી પડી હતી.
ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરમાં પેટાચૂંટણી યોજાશે. જોકે, વિસાવદર બેઠક પણ ખાલી છે, પરંતુ આ બેઠક પર પેટા ચૂંટણી યોજવા અંગે ચૂંટણી પંચે કોઈ ઉલ્લેખ કર્યો નથી.












Click it and Unblock the Notifications
