કચ્છ: છેલ્લા ત્રીસ વર્ષનો સૌથી ભીષણ દુકાળ
કચ્છ: છેલ્લા ત્રીસ વર્ષનો સૌથી ભીષણ દુકાળ
રાજ્યમાં ગરમીનો પારો 45ને પાર પહોંચ્યો છે. રાજ્યના તમામ શહેરોમાં અંગ દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવામાં જો વાત કરીએ કચ્છની તો હાલ કચ્છ ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. દુનિયાભરમાં રણોત્સવ માટે જાણીતું કચ્છ હાલ દુકાળનું ભોગ બન્યું છે. કચ્છના રહેવાસીઓ પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યા છે. કચ્છની આવી પરિસ્થિતિ જોઈને સરકારની સુજલામ સુફલામ યોજના પોકળ પુરવાર થતી હોય તેવું લાગે છે. જણાવી દઈએ કે કચ્છમાં છેલ્લા ત્રીસ વર્ષનો સૌથી ભીષણ દુષ્કાળ પડ્યો છે. સ્થાનિકોની સ્થિતી એવી કફોડી છે કે અત્યારે તેઓ પાણીના એક એક ટીપા માટે તરફડિયા મારી રહ્યા છે.આવી જ રીતે પશુઓ પણ તરફડી રહ્યા છે.કચ્છની આવી સ્થિતિના કારણે લોકો હિજરત કરી રહ્યા છે. દુકાળ ના લીધે અત્યાર સુધી 10 હજારથી વધુ લોકો તેમના અઢી લાખ પશુધન સાથે કચ્છ છોડીને અન્યત્ર આશરો લીધો છે. કચ્છ વાસીઓની પાણી માટેની પીડાનો વર્ષોથી અંત જ આવ્યો નથી.

બૂંદ બૂંદ માટે તરસ્યા લોકો
આમ તો કચ્છ ફરવા માટે જાણીતું છે પણ હવે દુકાળે પણ જાણે કચ્છમાં ધામા નાખ્યા હોય તેવું લાગે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 46 ડિગ્રીને આંબી રહ્યો છે. કચ્છમાં હાલ 20 ડેમોમાં 13.32 ટકા પાણી છે. આ સ્થિતિ માત્ર કચ્છની જ નહીં પરંતુ રાજ્યના ૫૦થી વધુ તાલુકાઓ દુકાળની ઝપેટમાં છે. રાજ્યના કેટલાય ડેમોમાં પાણીનું લેવલ ઘટી રહ્યું છે જો વાત કરી સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના 138 ડેમમાં માત્ર 11.82 ટકા પાણી જ બચ્યું છે. તો દક્ષિણ ગુજરાતના 12 ડેમમાં 24.19 ટકા જ પાણી રહ્યું છે. નર્મદા ડેમમાં 50.82 ટકા પાણી છે.ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 16.60 ટકા પાણી બચ્યું છે.જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમમાં 48.22 ટકા પાણી રહ્યું છે.આમ રાજ્યના કુલ 204 ડેમમાં 34.81 ટકા જ પાણી રહ્યું છે. રાજ્ય પર ઘેરાયેલા આ જળસંકટનો ક્યારે અંત આવશે તે તો સરકાર જ જાણે.

સુજલામ સુફલામ યોજના ના પોકળ દાવા
રાજ્ય સરકાર હાલ પાણીની સુજલામ સુફલામ યોજનાને વેગવંતી બનાવવાની મોટી મોટી વાતો કરી રહી છે. આવામાં કચ્છની આવી પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કી સરકારને લોકોની પરવા જ નથી રહી.

50થી વધુ તાલુકાઓ દુકાળગ્રસ્ત
મહત્વની વાત તો એ છે કે રાજ્યના લગભગ 50થી વધુ તાલુકાઓ દુકાળની ઝપેટમાં છે. પાણી પૂરવઠા વિભાગની માહિતી પ્રમાણે રાજ્યના ડેમોની જળ સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાત પર ઘેરાતા જળસંકટથી લોકો પાણીનો પોકાર કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
