Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Election: IAS અભિષેક સિંહને ડ્યુટી પરથી હટાવાયા, સોશિયલ મીડિયા પર 'આત્મ પ્રચાર' કરવો પડ્યો ભારે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. દરમિયાન IAS અધિકારી અભિષેક સિંહને ગુજરાત ચૂંટણીમાં નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા બાદ તેમને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

IAS અભિષેક સિંહ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સુપરવાઈઝર નિયુક્ત કરાયા હતા

IAS અભિષેક સિંહ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સુપરવાઈઝર નિયુક્ત કરાયા હતા

UP કેડરના IAS અભિષેક સિંઘને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 હેઠળ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા બાદ સોશિયલ મીડિયા પર 'સેલ્ફ પ્રમોશન' કરવામાં આવ્યું છે. 17 નવેમ્બરના રોજ અભિષેક સિંહે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુપરવાઈઝરની કાર સાથેની તસવીરો શેર કરી હતી અને માહિતી આપી હતી કે તેમને અમદાવાદમાં ગુજરાત ચૂંટણીમાં સુપરવાઈઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આની નોંધ લેતા ચૂંટણી પંચે IAS અભિષેક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આચાર સંહિતાનુ ઉલ્લંઘન ના થાય તેની જવાબદારી હતી

આચાર સંહિતાનુ ઉલ્લંઘન ના થાય તેની જવાબદારી હતી

નિરીક્ષકો કોઈપણ ચૂંટણીના નિરીક્ષણમાં ચૂંટણી પંચની આંખ, કાન અને નાકની જેમ કાર્ય કરે છે. ચૂંટણીમાં નસીબ અજમાવી રહેલા ઉમેદવારોના ખર્ચ અને આચારસંહિતાના ભંગ પર નજર રાખવા માટે સુપરવાઈઝરની જવાબદારી હોય છે.

સોશિયલ મીડિયા પર કરી હતી પોસ્ટ

સોશિયલ મીડિયા પર કરી હતી પોસ્ટ

આજતકના સમાચાર મુજબ, IAS અધિકારી અભિષેક સિંહને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અમદાવાદ જિલ્લાના બાપુનગર અને અસારવા વિધાનસભા ક્ષેત્ર માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેની માહિતી પણ અભિષેક સિંહે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમની પોસ્ટ અંગેની ફરિયાદ ચૂંટણી પંચ સુધી પહોંચી હતી.

ગુજરાત ચૂંટણીની ડ્યુટી પરથી હટાવાયા

ગુજરાત ચૂંટણીની ડ્યુટી પરથી હટાવાયા

ફરિયાદોની નોંધ લેતા ચૂંટણી પંચે તુરંત જ અભિષેક સિંહને ગુજરાત ચૂંટણી નિરીક્ષકની જવાબદારીમાંથી મુક્ત કર્યા છે. કમિશનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેણે સોશિયલ મીડિયા પર પબ્લિસિટી સ્ટંટ તરીકે પોતાના સત્તાવાર પદનો ઉપયોગ કર્યો છે. તેથી, તેમને આગામી આદેશો સુધી નિરીક્ષક તરીકે અને કોઈપણ ચૂંટણી સંબંધિત ફરજમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

કોણ છે અભિષેક સિંહ?

કોણ છે અભિષેક સિંહ?

તમને જણાવી દઈએ કે 22 ફેબ્રુઆરી 1983ના રોજ જન્મેલા IAS અભિષેક સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. આના પરથી ખ્યાલ આવે છે કે અભિષેક સિંહને ઈન્સ્ટાગ્રામ પર 30 લાખ લોકો ફોલો કરે છે. આ બાબતમાં તેઓ દેશભરના તમામ IAS અધિકારીઓમાં નંબર વન છે. IAS અભિષેક સિંહ પણ એક મહાન અભિનેતા છે. બી પ્રાક સાથેના ગીત 'દિલ તોડ કે' અને જુબીન નૌટિયાલ સાથે 'તુઝે ભૂલના તો ચાહા...'માં શાનદાર અભિનય જોવા મળ્યો હતો. અભિષેક સિંહ ઘણી વેબ સિરીઝ અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યો છે.

અભિષેક સિંહની પત્ની પણ IAS

અભિષેક સિંહની પત્ની પણ IAS

અભિષેક સિંહ મૂળ રીતે ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી છે. તેમની પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ આઈએએસ અધિકારી છે, જે નોઈડા એસડીએમ હોવા છતાં રેતી માફિયાઓ અને ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કાર્યવાહી કરીને દેશભરમાં હેડલાઈન્સમાં હતા. દુર્ગા શક્તિ નાગપાલને પંજાબ કેડર મળી હતી, પરંતુ તે કેડર બદલીને IAS અભિષેક સિંહ સાથે લગ્ન કરવા યુપી આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X