ગર્ભવતી મહિલાઓ પર કોરોનાનો કહેર, ગુજરાતની હોસ્પિટલોમાં સેંકડો ભરતી, જિંદગી બચાવવી મુશ્કેલ
યુવા, વયસ્ક, વૃદ્ધો અને હવે ગર્ભવતી મહિલાઓ પણ વાયરસથી સંક્રમિત થઈ રહી છે. ગર્ભવતી મહિલાઓના સંક્રિમત થવાનો દર ઘણો વધુ છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની અસર દિવસેને દિવસે વધી રહી છે. એક દિવસમાં અહીં 9,541 કોરોના પૉઝિટીવ કેસ મળ્યા અને રેકૉર્ડ 97 મોત થયા છે. યુવા, વયસ્ક, વૃદ્ધો અને હવે ગર્ભવતી મહિલાઓ પણ વાયરસથી સંક્રમિત થઈ રહી છે. ગર્ભવતી મહિલાઓના સંક્રિમત થવાનો દર ઘણો વધુ છે. કોરોનાના કહેરના કારણે આવી મહિલાઓ આઈસીયુમાં ભરતી કરવામાં આવી રહી છે. અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં મેડિસિન પ્રોફેસર ડૉ.મનિલા પટેલે કહ્યુ, 'અમે એ માનતા હતા કે માતાઓ બચેલી રહેશે પરંતુ હવે જોઈ રહ્યા છે કે સ્થિતિ ખૂબ જ ભયાનક થઈ ગઈ છે.'

700 ગર્ભવતી મહિલાઓમાંથી એક પણનો જીવ બચાવી શકાયો નહિ
એસવીપી હોસ્પિટલ(સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ)માં લગભગ 700 કોવિડ પૉઝિટીવ ગર્ભવતી મહિલાઓની ડિલીવરી કરાવી પરંતુ એકનો પણ જીવ બચાવી શકાયો નહિ. કોરોનાના નવા સ્ટ્રેનના કારણે વધુ જીવ જઈ રહ્યા છે. સરકારી અધિકારી શ્વેતા મહેતા સાહુનુ મોત પણ આવા સમયમાં જ થયુ જે નવ મહિના ગર્ભવતી હતા. ડૉક્ટરોએ 35 વર્ષીય મહિલાને બચાવવા માટે તેના બાળકની ડિલીવરી કરાવી પરંતુ દીકરી અને મા બંનેનુ મૃત્યુ એક જ દિવસમાં થઈ ગયુ.

ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર
ડૉ. શાહે કહ્યુ, 'હાલમાં અમારી પાસે ત્રણ ગર્ભવતી મહિલાઓ છે જે કોરોના સામે લડી રહી છે અને વેંટીલેટર પર છે. જેમાં એક ગર્ભવતી મહિલા એવી છે જેને જોડિયા બાળકો થયા. ડૉક્ટરો પર ડિલીવરી કરાવવા અને માના જીવનને બચાવવાનુ દબાણ છે પરંતુ તે સ્થિતિ આગળ મજબૂર છે. માતાઓ અને તેમના પરિવારોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે અને સંક્રમિત થવાથી બચવા માટે તેઓ હોમ ક્વૉરંટાઈનનો સહારો પણ લઈ શકે છે આવા પગલાં જ સૌથી સારો ઈલાજ છે.'

યુવા ગર્ભવતી મહિલાઓ અને બાળ રોગીઓ પર કોરોનાની ગંભીર અસર
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે ગર્ભવતી મહિલાઓએ ફેફસાની નબળાઈ સામે લડતા કોરોના સામે પોતાનો જીવ ગુમાવ્યો. સુરતમાં ડૉક્ટરોએ કહ્યુ કે 20-30 વર્ષની યુવા ગર્ભવતી મહિલાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે. ડૉ. દિપ્તી પટેલે કહ્યુ, 'ગયા વર્ષે સંક્રમિત ગર્ભવતી મહિલાઓ કોઈ જટીલતા વિના રિકવર થઈ રહી હતી પરંતુ આ વખતે ગર્ભવતી મહિલાઓને ઑક્સિજન સપોર્ટ અને ઈનવેસીવ થેરેપી જેવી મદદ અને 30 ટ કાથી 40 ટકા ફેફસાના નુકશાન સાથે ભરતી કરવામાં આવી રહી છે.' રાજકોટમાં પલ્મોનોલૉજિસ્ટ ડૉ. નીરજ મહેતાએ કહ્યુ કે અમારે ત્યાં 10 ગર્ભવતી મહિલાઓ આવી. અમે જોયુ કે ગર્ભવતી મહિલાઓ અને બાળ રોગીઓ પર કોરોના બહુ જ ખરાબ રીતે અસર કરી રહ્યો છે. તેને જોઈને તકલીફ થાય છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
