ગુજરાતમાં CNG-PNGમાં 10.10 રૂપિયાનો ઘડાડો
ગાંધીનગર, 20 ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ગેઇલ)એ ગુજરાતની જનતાને દિલ્હી અને મુંબઇના ભાવે એપીએમ ગેસ આપવા માટે કરાર કરતાં સીએનજી તથા પીએનજીના દરમાં સરેરાશ રૂ. ૧૦ સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
જેથી હવે 12.33 લાખ ઘરવપરાશ અને 2.35 લાખ વાહનચાલકોને મહિને રૂ. 50 કરોડની રાહત મળશે, આમ કેન્દ્ર સરકારે ગુજરાતના ચુકાદાને ધ્યાનમાં લઇ સમગ્ર દેશમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે સસ્તો ગેસ આપવાનું ઉદાર વલણ અપનાવ્યું છે પરંતુ ગુજરાત સરકારે જનતા પાસેથી વસૂલ થતા 15 ટકાનો વેટદર ઘટાડવાની મનાઇ કરી દિધી છે.
રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના 2.35 લાખ ઉપરાંત સીએનજી વાહન ચાલકોને જીએસપીસીનો ગેસ અગાઉ જે રૂ. ૬66.30ના ભાવે મળતો હતો તેમાં રૂ. 10.10નો ઘટાડો કરી હવે નવાભાવ મુજબ તે તમામ વેરાઓનો સમાવેશ થયા બાદ રૂ. 56.20 પ્રતિ કિલોના ભાવે આપવાનો નિર્ણય કર્યો છે.

એકાદ બે દિવસમાં નવો ભાવ અમલમાં
આ ઉપરાંત 12.33 લાખ ઉપરાંતના ગૃહ (ડોમેસ્ટિક) ગેસ વપરાશકર્તાઓને રૂ. 23.50 પ્રતિ સ્ટાન્ડર્ડ કયુબિક મીટર (એસસીએમ)ના ભાવે પાઈપલાઈન ગેસ મળતો થશે. ગેઈલ ઈન્ડિયા અને જીએસપીસી વચ્ચે ગુરૂવારે અમદાવાદમાં થયેલા કરારના પગલે આ નવા ભાવ નિશ્વિત કરવામાં આવ્યા છે અને ગેઈલ તરફથી ગેસનો પુરવઠો ઉપલબ્ધ બનાવાતાં જ એકાદ બે દિવસમાં નવા ભાવે વપરાશકારોને ગેસ મળતો થઈ જશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રતિદિન 40 લાખની બચત
ગૃહવપરાશકારો માટેનો પાઈપલાઈન ગેસ અત્યારે રૂ. 25.50થી રૂ. 40 પ્રતિ એસસીએમના ભાવે મળે છે તેમાં રૂ. 2 થી રૂ. 9.45 સુધીનો ઘટાડો થશે. સૌરભ પટેલના જણાવ્યા અનુસાર આ ભાવ ઘટાડાના પરિણામે સીએનજી વાહનચાલકોને સમગ્રતયા રૂ. 40 લાખની પ્રતિદિન બચત થશે.

પીએનજી-ગૃહ ગેસ 24 ટકા સસ્તો મળશે
પીએનજી-ગૃહ ગેસ વપરાશકારોને બે તબક્કામાં કિંમત ફેરફાર કરવામાં આવ્યા છે. 30 એસસીએમ સુધીનો વપરાશ કરનારા ગ્રાહકોને રૂ. 2.30 એટલે કે 8 ટકા જેટલા ભાવ ઘટાડાનો લાભ મળશે. જ્યારે 31થી 40 એસસીએમ સુધીનો ગેસ વાપરનારા ગ્રાહકોને રૂ. 10.87 એટલે કે 24 ટકા સસ્તો મળશે.

તો રૂ. ૬૦૦ કરોડની બચત થાત
ગુજરાત હાઇકોર્ટે સૌ પ્રથમ જુલાઇ ૨૦૧૨માં ગુજરાતની માગણીનો સ્વીકાર કરી ચુકાદો આપ્યો હતા. જુલાઇ ૨૦૧૨માં જ આ ચુકાદાનો અમલ થયો હોત તો રાજ્યની જનતાને સસ્તો ગેસ મળતો થાત અને રૂ. ૬૦૦ કરોડની રકમ બચી શકી હોત તેમ પેટ્રોલિયમમંત્રીએ દાવો કર્યો હતો.

10.10 નો ઘટાડો
રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના 2.35 લાખ ઉપરાંત સીએનજી વાહન ચાલકોને જીએસપીસીનો ગેસ અગાઉ જે રૂ. ૬66.30ના ભાવે મળતો હતો તેમાં રૂ. 10.10નો ઘટાડો કરી હવે નવાભાવ મુજબ તે તમામ વેરાઓનો સમાવેશ થયા બાદ રૂ. 56.20 પ્રતિ કિલોના ભાવે આપવાનો નિર્ણય કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
