સૌરાષ્ટ્રમાં ‘નિલોફર’નો ખતરોઃ દરિયાકાંઠે નંબર 2નું સિગ્નલ
ગાંધીનગર, 27 ઓક્ટોબરઃ અરબી સમુદ્રમાં હવાળનું દબાણ ઉભુ થતાં ચક્રાવાત સર્જાયો છે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકી શકે છે. જેના પગલે સમગ્ર તટ વિસ્તારમાં હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યુ્ં છે, તેમજ માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતાવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે. નિલોફર નામનું આ વાવાઝોડું કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારમાં ત્રાટકી શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે.

મળતી માહિતી અનુસાર કચ્છમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જ્યારે તંત્ર દ્વારા દિરયા કાંઠે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યની 2500 જેટલી બોટ દરિયામાં ફસાઇ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. વેરાવળ અંગે વાત કરવામાં આવે તો વેરાવળની કુલ 1700 જેટલી બોટ મધદરિયે છે. અમરેલી અને ભરૂચમાં પણ નંબર 2નું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તમામ જિલ્લા કલેક્ટરોને સાબદા રહેવા માટે સૂચિત કરવામાં આવ્યા છે. એવી ધારણા છેકે નિલોફર વાવાઝોડું 120થી 145 કિ.મીની ઝડપે ગુજરાતના દરિયે ત્રાટકી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાક પછી નિલોફર વાવાઝોડું ટર્ન લે તેવી સંભાવનાઓ છે. વાવાઝોડુ યમન તરફ ફંટાઇ રહ્યું હોવાથી હાલ પુરતો ગુજરાત પરથી ખતરો ટળ્યો છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું હોવાથી કચ્છના દિરયા કિનારે અને પાકિસ્તાનમાં વાવાઝોડું ત્રાટકી શકે છે, તેવી આશંકા વ્યક્ત કરાઇ છે.
નોંધનીય છેકે વાવાઝોડુ મુંબઇથી 1275 કિ.મી દૂર પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયું છે, જે આગામી 24 કલાકમાં સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થઇ જશે અને તેના કારણે રાજ્યભરમાં આગામી 4 દિવસ સુધી વાદળ છાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે, તેમજ વરસાદી ઝાપટાં પડી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
