મહિલાને બચાવવા જતા નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના 5 લોકોના મોત
કચ્છના મુંદ્રાના ગુંદાલા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે.
કચ્છના મુંદ્રાના ગુંદાલા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ કેનાલમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢી લીધા. પરિવારની એક મહિલાને બચાવવા જતા એક પછી એક પાંચે લોકો ડૂબી ગયા અને તેમના મોત થઈ ગયા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને વળતરની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.

ઘટનાની વિગતો મુજબ કચ્છના મુંદ્રાના ગુંદાલા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની બાજુમાં જ આવેલા ખેતરમાં મજૂરી કરતા શ્રમજીવી પરિવારની ત્રણ મહિલા અને બે પુરુષોના કેનાલમાં ડ઼ૂબી જવાથી મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ. મૃતકોમાં રાજેશ ખીમજી, કલ્યાણ દામજી, હીરોબેન કલ્યાણ, રસિલા દામજી અને સવિતાબેનનો સમાવેશ થાય છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મૃતકોમાં બે પરિણીત યુગલો અને એક કિશોરીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યુ કે આ ઘટના પરાગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદાલા ગામ પાસે સાંજે 7 વાગે બની હતી. પ્રાગપર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ કે, 'બે મહિલાઓ, એક 15 વર્ષની છોકરી અને બે પુરૂષોના મૃતદેહ મળી આવ્યા છે.'
Gujarat | Five members of a family drowned in Narmada canal at Gundala village in Mundra. Police have recovered all dead bodies. Incident happened after family members jumped into canal to save a woman who slipped into the canal while fetching water: Saurabh Singh, SP, Kutch West pic.twitter.com/NcM6xw1EIM
— ANI (@ANI) November 14, 2022
તમને જણાવી દઈએ કે નર્મદા કેનાલના લપસણા ઢોળાવના જોખમો અંગે અગાઉ અનેક અહેવાલો જણાવવામાં આવ્યુ છે. અમદાવાદ મિરરમાં જાન્યુઆરીના એક અહેવાલ મુજબ 2021માં એસજી હાઈવે પર વૈષ્ણોદેવી અને કોબા વચ્ચે નર્મદા કેનાલમાંથી લગભગ 55-60 મૃતદેહો મળી આવ્યા હતા. નર્મદા કેનાલ સરદાર સરોવર ડેમમાંથી પાણી ગુજરાત અને પછી રાજસ્થાન લાવે છે. કેનાલની લંબાઈ 532 કિમી છે જેમાંથી 458 કિમી ગુજરાતમાં અને 74 કિમી રાજસ્થાનમાં છે.
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગુંદાળા ગામના દેવીપુજક પરિવારના પાંચ સભ્યો કેનાલમાં પડી જવાથી મૃત્યુ પામ્યાના ખબરથી વ્યથિત છું . માન.મુ.મંત્રીશ્રી તથા માન.પ્રધાન મંત્રીશ્રીને આ ગરીબ પરિવાર માટે તાત્કાલિક પુરતી વળતરની વ્યવસ્થા કરવા વિનંતી . મૃતકના કુટુંબીજનો સાથે મારી સંવેદનાઓ છે
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) November 14, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
