30 જાન્યુઆરીએ થશે ખેડૂત સત્યાગ્રહ, જમીન માપણી રદ્દ કરવા યોજાશે સંમેલન
Agricultur News: 30 જાન્યુઆરીના રોજ ખંભાળિયા ખાતે ખેડૂત સત્યાગ્રહ નામે ખેડૂત સંમેલન યોજાશે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ ખેડૂતોને ઉમટી પડવા માટે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ હાંકલ કરી છે.
આ ખેડૂત સંમેલનમાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવાની માંગ સાથે ખેડૂત સત્યાગ્રહ કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17 નો પાકવિમો 70 થી 80 ટકા મળવાપાત્ર હતો, તે આપ્યો નથી તેની પણ માંગ આ સંમેલનમાં કરવામાં આવશે.
વાછરાવાવ દલવાડી હોટેલ પાસે ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ સવારે 9.30 કલાકે ખેડૂતોને ઉપસ્થિત રહેવા હાકલ કરવામાં આવી છે. આ સંમેલનમાં ખેડૂત આગેવાનો, રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
ઉદ્ઘાટનના લોલીપોપથી હવે ખેડૂતો થાકી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના અનેક પ્રશ્ને 30 જાન્યુઆરીએ ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે.
જમીન માપણીના પ્રશ્ને આખા ગુજરાતના ખેડૂતો, આગેવાનોને પાલભાઈ આંબલિયાએ જાહેર આમંત્રણ આપ્યું છે.

આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 272 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે ચાલુ વર્ષનુ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરવામાં આવશે.
પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, 11 - 11 વર્ષથી સરકાર જમીન માપણી ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે, તેમ છતા પણ પરિણામ શૂન્ય છે. 11 વર્ષમાં સરકાર 1 ગામનો નકશો પણ સુધારી શકી નથી.
ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે, 11 વર્ષમાં સરકાર 1 ગામનો નકશો સુધારી શકી નથી ત્યારે આ માપણી સંપૂર્ણપણે રદ્દ જ કરવી જોઈએ. 7 વર્ષથી તૂટેલા સાની ડેમના દરવાજા અને ચરકલા ડેમ સરકાર રીપેર કરી શકી નથી.
છેલ્લા 15 વર્ષથી વંગળી અને રેટા કાલાવડ ડેમ બનાવવા માટે દર ચૂંટણીએ માત્ર ઉદ્ઘાટન થાય છે. ઉદ્ઘાટન પછી સરકાર ભૂલી જાય છે, ડેમ બનાવવાનું ટેન્ડર પણ થતું નથી.
આ ખેડૂત સંમેલનમાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, ઇશુદાન ગઢવી, હેમંત ખવા, વિક્રમ માડમ, પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ સાથે ડાયાભાઈ ગજેરા, રતનસિંહ ડોડીયા, પ્રવીણ પટોડીયા, ભરતસિંહ ઝાલા, ભરતસિંહ વાળા વગેરે ખેડૂત આગેવાનો પણ આ ખેડૂત સત્યાગ્રહમાં ઉપસ્થિત રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
